PM મોદીની OBC જાતિ અંગેના વિવાદમાં નરહરિ અમીને પણ ઝંપલાવ્યું, રાહુલ ગાંધીની કાઢી ઝાટકણી


  • Published By :
  • Published Date : 2024-02-08 21:48:09

રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો ન્યાય યાત્રાના ભાગરૂપે આજે ઓડિસામાં એક રેલી સંબોધી હતી. આ રેલીમાં રાહુલે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિ પર સવાલો ઊભા કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, અન્ય પછાત જાતિ (OBC) સમુદાયના નથી કારણ કે તેમનો જન્મ જનરલ કાસ્ટમાં થયો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે. જો કે હવે આ મુદ્દે ગુજરાત પૂર્વ ડેપ્યુટી સીએમ રહી ચુકેલા નરહરિ અમીને પણ ઝંપલાવ્યું છે. તેમણે પીએમ મોદીના સમર્થનમાં એક  ટ્વિટ કર્યું છે.



નરહરિ અમીને શું કહ્યું?


રાજ્ય સભામાં BJPના સાંસદ નરહરિ અમીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરતા લખ્યું છે કે "રાહુલ ગાંધી આવા નિવેદનો કરીને OBC સમુદાયનું અપમાન કરી રહ્યા છે." સાંસદ નરહરિ અમીને વધુમાં લખ્યું છે કે, “જ્યારે કોંગ્રેસ સરકારે 25 જુલાઈ 1994ના રોજ કહ્યું હતું કે મોઢ-ઘાંચી ઓબીસીમાં આવે છે, ત્યારે નરેન્દ્ર મોદી ન તો સાંસદ હતા કે ન તો ધારાસભ્ય હતા. મુખ્યમંત્રી તો દૂરની વાત છે. બીજેપી સાંસદ નરહરિ અમીને રાહુલ ગાંધી પાસે માંગ કરી છે કે તેઓ તેમના નિવેદન બદલ ગુજરાતની જનતાની તાત્કાલિક માફી માંગે અને જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. તેમણે કહ્યું, "એક વ્યક્તિ જે પોતાનું ગોત્ર પણ નથી જાણતો તે આજે ગરીબ પરિવાર અને તેલી સમુદાયમાં જન્મેલા વડાપ્રધાનને OBC પ્રમાણપત્ર આપી રહી છે!"



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.