મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24ના મોત, મૃતકોમાં 12 નવજાત શિશુ, 70ની હાલત ગંભીર, આરોગ્ય તંત્ર પર ઉઠ્યા સવાલો


  • Published By :
  • Published Date : 2023-10-02 22:59:04

મહારાષ્ટ્રના નાંદેડમાં આરોગ્ય વિભાગની બેદરકારીનો એક મોટો મામલો સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં અહીંની સરકારી હોસ્પિટલમાં 12 શિશુઓ સહિત ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા છે. સોમવારે, વિપક્ષ મહા વિકાસ આઘાડી (MVA) એ આ મામલે આકરી પ્રતિક્રિયા આપી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડૉ. શંકરરાવ ચવ્હાણ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મૃત્યુ પામેલા લોકોમાંથી ઓછામાં ઓછા 12 બાળકો છે, કેટલાક મૃતકોમાં માત્ર 2 થી 4 દિવસના શીશુઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે બાકીના પુખ્ત વયના છે.


દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા 


નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ એસઆર વાકોડેએ જણાવ્યું છે કે જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ દર્દીઓ છે. તેમણે કહ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના દર્દીઓ એવા હતા જેમને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. જો કે, બાકીના દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે દવાઓ એક જાણીતી ફાર્મા કંપની પાસેથી ખરીદવાની હતી, પરંતુ કેટલાક કારણોસર દવાઓ ખરીદી શકાઈ નથી.


નર્સિંગ અને મેડિકલ સ્ટાફની અછત


ભૂતપૂર્વ સીએમ અને નાંદેડ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે જણાવ્યું હતું કે આ મૃત્યુ સિવાય, જિલ્લાની અન્ય ખાનગી હોસ્પિટલોમાંથી રેફર કરાયેલા અન્ય 70 દર્દીઓની હાલત ચિંતાજનક' હોવાનું જાણવા મળે છે. ચવ્હાણે કહ્યું કે મેં હોસ્પિટલના ડીન સાથે વાત કરી, તેમણે કહ્યું કે નર્સિંગ અને મેડિકલ સ્ટાફની અછત છે. કેટલાક ઈક્વિપમેન્ટ કામ કરતા નથી અને કેટલાક વિભાગો વિવિધ કારણોસર કાર્યરત નથી. આ બહુ ગંભીર મુદ્દો છે. શિવસેના (UBT) ના ઉપનેતા સુષ્મા અંધારેએ સરકાર પર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો અને ઓગસ્ટના મધ્યમાં થાણેની છત્રપતિ શિવાજી મહારાજ સરકારી હોસ્પિટલમાં 18 દર્દીઓના સમાન મૃત્યુનો પણ ઉલ્લેખ કર્યો હતો.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.