32 વર્ષે જેલમાંથી છુટ્યા બાદ નલિની શ્રીહરને કહ્યું- "ગાંધી પરિવાર સાથે મુલાકાતની કોઈ યોજના નથી"


  • Published By :
  • Published Date : 2022-11-13 17:02:56

દેશની સૌથી લાંબી આજીવન કેદની સજા ભોગવી રહેલી મહિલા કેદી નલિની શ્રીહરને શુક્રવારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ શનિવારે વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી, જેણે આરપી રવિચંદ્રન સહિત તમામ છ દોષિતોને પણ રાહત આપી છે. જેલમાંથી બહાર આવીને નલિની શ્રીહરને તમિલનાડુના લોકોનો આભાર માન્યો અને કહ્યું કે તેઓએ 32 વર્ષ સુધી તેમને સાથ આપ્યો.


નલિની શ્રીહરને શું કહ્યું?


નલિની શ્રીહરને મીડિયા સાથે વાત કરતા તેની ભવિષ્ય યોજના અંગે કહ્યું હતું કે તેમના પરિવારના તમામ સભ્યો લાંબા સમય સુધી તેમની રાહ જોઈ રહ્યા છે, અને હવે તે તેમની સાથે રહેવા માંગે છે. આ પ્રસંગે તેણે રાજ્ય અને કેન્દ્ર સરકારનો આભાર પણ માન્યો હતો. અને કહ્યું તે તેમણે આ દરમિયાન ઘણી મદદ કરી છે. 


(1)ગાંધી પરિવાર સાથે મુવાકાત અંગે તેણે કહ્યું કે તેમની સાથે મુલાકાતની કોઈ યોજના નથી, તે સાથે જ તેણે તે પણ કહ્યું કે મારા પતિ જ્યાં જશે તે તેમની સાથે જ જઈશ. અમે બંને છેલ્લા 32 વર્ષથી અલગ રહ્યા છિએ.


(2)જેલમાં દોષિતોના સારા આચરણને ધ્યાનમાં રાખીને જસ્ટિસ બી આર ગવઈ અને બી વી નાગરત્નાની બે ન્યાયાધીશોની બેંચ અંગે તેમણે કહ્યું    કે તેમણે કેસની સારી રીતે અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમણે મુક્તિનો નિર્ણય કર્યો હતો.


(3)પ્રિયંકા ગાંઘી સાથે મુલાકાત અંગે નલિનીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી મને જેલમાં મળવા આવી હતી. તેમણે મને તેમના તેમના પિતાની હત્યા અંગે પુછ્યું હતું. તે તેમના પિતાને લઈ ભાવુક થઈ ગઈ અને રડવા લાગી હતી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.