રાજ્યની નગરપાલિકાઓનો વહીવટ ખાડે, વીજ કંપનીઓએ આ નપાના વીજ કનેક્સન કાપ્યા, લોકોને હાલાકી


  • Published By :
  • Published Date : 2023-01-22 16:14:50

સામાન્ય લોકો વિજ બીલ ન ભરે તો વિજ કંપનીઓ એકી ઝાટકે વીજ જોડાણ કાપી નાખતી હોય છે. જો કે રાજ્યની કેટલીક નગરપાલિકાઓ એવી પણ છે જેને વિજ બિલ નહીં ભરવાનાને લઈ વીજ કંપનીઓએ નોટિસ ફટકારી છે. જ્યારે અન્ય નગરપાલિકાઓના વીજ જોડાણ કાપી નખવામાં આવ્યા છે. રાજ્યની આ નગરપાલિકાઓનો વહીવટી ખાડે ગયો છે અને તેના કારણે જ આ સ્થિતી સર્જાઈ છે.


ગોધરા નગરપાલિકા


પંચમહાલ જિલ્લાની સૌથી મોટી ગોધરા નગરપાલિકાને ધ્ય ગુજરાત વીજ કંપનીને 8.33 કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. વીજ કંપનીએ તાજેતરમાં જ પાલિકાને વીજ જોડાણ કાપી નાખવાની ફરજ પડશે તેવી ચેતવણી આપતી નોટિસ પાઠવી હતી.જો કે નગરપાલિકા પ્રમુખ સંજય સોનીએ વીજ કંપનીને બાકી વીજ બિલના નાણાં ભરપાઈ કરવાની લેખિત ખાતરી આપી વીજ જોડાણ કાપવા કે અન્ય કાર્યવાહી નહીં કરવા જણાવ્યું છે. 


ગોંડલ અને જસદણ નગરપાલિકા


રાજકોટ જિલ્લાની ગોંડલ અને જસદણ નગરપાલિકાના પાસેથી PGVCLએ ઉઘરાણી કરી છે. PGVCLએ બન્ને નગરપાલિકા પાસેથી બીલની રકમ વસૂલી છે. ગોંડલ નગરપાલિકા પાસેથી 20 લાખ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી છે. જ્યારે જસદણ નગરપાલિકા પાસેથી 9 લાખ રૂપિયાની ઉઘરાણી કરી છે. નગરપાલિકાઓએ વીજબીલ ન ભરતાં PGVCLની ટીમ ગઈ કનેક્શન કાપવા ગઈ હતી. કનેક્શન કપાવાના ભયને લઇ નગરપાલિકાએ તાત્કાલિક વીજબીલ ભર્યું હતું.


ધાનેરા નગરપાલિકા


બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકા તેના રેઢીયાળ વહીવટ તથા આંતરિક રાજકારણના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે.   છેલ્લા ઘણા સમયથી ધાનેરા નગરપાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા ધાનેરા નગરપાલિકાને અનેક નોટિસ ફટકરવામાં આવી હતી. જો કે તેમ છતાં પાલિકાના વહીવટદારોએ વીજ બીલ ન ભરતા આખરે વીજ કંપનીએ વીજ કનેક્શન કાપી નાખ્યું છે. નગરપાલિકાએ 2.60 કરોડનું વીજ બીલ ન ભરતા વીજ કનેક્શન કપાયું છે. જો કે હજુ પણ બોર સ્ટ્રીટ લાઈટ તેમજ ઓફિસનું વીજ બીલ ભરવાનું બાકી છે. 


બોરીયાવી નગરપાલિકા


આણંદ જિલ્લાની બોરીયાવી નગરપાલિકાનું રૂ.60.15 લાખનું વીજબીલ બાકી છે. નગરપાલિકાની બેદરકારીને કારણે સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કપાવાથી બોરીયાવીના રસ્તાઓ અંધકારમય બન્યા છે અને સ્થાનિકો અંધારામાં ચાલવા મજબૂર બન્યા છે.  વીજ કંપનીએ આ વીજ કનેક્શન કાપવા સાથે હવે ગટર અને પાણીનું જોડાણ કાપવાની ચીમકી ઉચ્ચારી છે. 


સલાયા નગરપાલિકા


દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકાનું 45 લાખ જેટલું વીજ બિલ બાકી છે. PGVCLએ આકરી કાર્યવાહી કરતા સલાયા નગરપાલિકા વોટર વર્કસ શાખાનું વીજ જોડાણ કાપી નાંખ્યુ છે. નગરપાલિકાના વોટર વર્ક્સનું વીજ કનેક્શન કટ થઈ જતાં સલાયા વિસ્તારમાં પાણી વિતરણ ખોરવાયું છે. છેલ્લા ત્રણ દિવસથી નગરપાલિકામાં પાણી વિતરણ બંધ છે. 45 હજારની વસ્તી ધરાવતા સલાયા ગામના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. 


પ્રાંતિજ નગરપાલિકા


સાબરકાંઠાની પ્રાંતિજ નગરપાલિકાના માથે 82 લાખથી વધારેનું વીજ બિલ બાકી બોલે છે. તેના કારણે છેલ્લા બે વર્ષમાં ચાર વખત વીજ કનેક્શન કપાઈ ચૂક્યું છે. વીજ બિલ ન ચૂકવાતા પ્રાંતિજ વીજ વિભાગ દ્વારા પ્રાંતિજ પાલિકાના સ્ટેટ લાઈટ સહિતના 35થી વધારે કનેક્શન કાપી નાખ્યા હતા. જોકે પાલિકાએ તાત્કાલિક ધોરણે પાંચ લાખ જેટલી રકમ ભરી હાલ વીજ કનેક્શન શરૂ કરાયું છે. જો કે એક તરફ પ્રાંતિજ નગરપાલિકામાં 60 ટકાથી વધારે ટેક્સની રકમ નિયમિત રીતે ભરપાઈ થઈ રહી છે. તો બીજી તરફ વિપક્ષ નગરપાલિકાના વહીવટકર્તાઓ પર અણઘડ વહીવટનો આરોપ લગાવી રહ્યા છે. 


ખેડા જિલ્લાની કેટલી નપાના વિજ બિલ બાકી?


ખેડા જિલ્લાની તમામ 10 નગરપાલિકાના લાઈટ બિલ બાકી છે. તે જ પ્રકારે ખેડા અને મહેમદાવાદ નગરપાલિકાના બિલ બાકી હોવાથી કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. જિલ્લાની 10 નગરપાલિકાઓમાં નડિયાદ, મહેમદાવાદ, ઠાસરા, કપડવંજ, ચકલાસી, ડાકોર, મહુધા, કણજરી, કઠલાલ, અને ખેડાનો સમાવેશ થાય છે. આ તમામ નગરપાલિકાના બિલ ચૂકવવાના બાકી હોવાથી વહીવટી તંત્ર અને સત્તાધીશો સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વીજ કંપનીએ અનેક નોટીસ ફટકારી છે પણ પરિણામ શુન્ય છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!