NAFEDએ ડુંગળીની ખરીદી તો શરૂ કરી છતાં ખેડૂતો થયા નિરાશ, જાણો શા માટે?


  • Published By :
  • Published Date : 2023-03-09 19:07:47

રાજ્યમાં ડુંગળીના ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય  ભાવ ન મળતા હોવાના સમાચાર બાદ સરકારે ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા ડુંગળી અને બટાકા માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાજ્ય સરકાર ગઈકાલે જાહેરાત કરી હતી કે નાફેડ 9 માર્ચથી ડુંગળીની ખરીદી કરશે. 


NAFEDએ શરૂ કરી ખરીદી 


સરકારની જાહેરાતના પગલે નાફેડની ટીમ આજે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી અને ડુંગળીની ખરીદી શરૂ કરી હતી. નાફેડે  ધારાધોરણો આધારે રાજકોટ યાર્ડમાં ડુંગળીની ખરીદીની શરૂઆત કરી હતી. નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. 


NAFED રૂ.7.92 પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદી


ખેડૂતોને ડુંગળીના સારા ભાવ મળી રહે તે માટે નાફેડના અધિકારીઓ રાજકોટ યાર્ડમાં પહોંચી ગયા હતા. રાજકોટ યાર્ડમાં આજથી NAFED દ્વારા જે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહ્યો છે તેનો ભાવ 7.92 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવ્યો છે. અગાઉ જે ડુંગળી બે રૂપિયા પ્રતિ કિલો એના ભાવે વેચાતી હતી તે ડુંગળી 7.92 પ્રતિ કિલોના ભાવે આજે નાફેડમાં વેચાઈ રહી છે.


ખેડૂતો થયા નિરાશ


રાજકોટ માર્કેટ યાર્ડમાં NAFEDએ આજે ડુંગળીની ખરીદી તો શરૂ કરી પણ તેના ધારા-ધોરણોની જાહેરાત કરી ન હતી. જેના કારણે  ડુંગળી વેચવા આવનારા ખેડૂતો નિરાશ જોવા મળ્યા હતા. નાફેડે ડુંગળીના ખેડૂતો પાસે આધાર કાર્ડ, 7-12, 8 અ, કેન્સલ ચેક, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા અને 12 નંબર વાવેતરનો દાખલો સહિતના જે કાંઈ પણ ડોક્યુમેન્ટ માંગ્યા હતા. આ ઉપરાંત સારી ક્વોલિટીની જે ડુંગળી હશે અને 45 એમએમની ડુંગળી હશે તેની જ ખરીદી નાફેડ દ્વારા કરવામાં આવી હતી.


NAFEDનો ભાવ પણ અપૂરતો


ખેડૂતાના જણાવ્યા પ્રમાણે હાલમાં NAFED જે ભાવ આપી રહ્યું છે તેને લઈને એક પણ ખેડૂતોને પોતાના ખર્ચાના પૈસા પણ નીકળી શકે તેમ નથી. તેમજ ડુંગળીના ઓછામાં ઓછા 300થી 350 રૂપિયા ભાવ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય તેમ છે. આ સાથે જ નાફેડ દ્વારા જે ખરીદી કરવામાં આવી રહી છે. તેમાં ક્વોલિટીનો જ માલ લેવામાં આવે છે. જ્યારે અમારો રિજેક્ટ કરેલો માલ અમારે કચરામાં નાખવાનો વારો આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.