Muthoot Microfinનો IPO આગામી સોમવારે લોન્ચ થશે, કેટલી ચાલી રહી છે GMP?


  • Published By :
  • Published Date : 2023-12-14 16:46:12

દેશની અગ્રણી નોન-બેન્કિગ ફાઈનાન્સ કંપની (NBFC) મુથૂટ માઈક્રોફિન (Muthoot Microfin)નો IPO આગામી સોમવારે લોન્ચ થશે. કંપનીના IPO માટે આગામી 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી બોલી લગાવી શકો છો. એન્કર ઈન્વેસ્ટરો એક દિવસ પહેલા એટલે કે 15 ડિસેમ્બરના રોજ બોલી લગાવી શકશે. કંપનીએ 10 રૂપિયાવાળા એક શેરની પ્રાઈઝ બેન્ડ 277 રૂપિયાથી 291 રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે. 


કંપની રૂ.960 કરોડ એકત્રિત કરશે


બ્રિટિશ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર ગ્રેટર પેસિફિક કેપિટલના સમર્થનવાળી NBFC મુથૂટ ફિનકોર્પે આ IPOથી 960 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના બનાવી છે. તેમાંથી 760 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યું છે જ્યારે 200 કરોડ રૂપિયાની ઓફર ફોર સેલ એટલે કે OFS દ્વારા એકત્રિત કરવામાં આવશે. તેમાં વર્તમાન શેર હોલ્ડર તેમનો સ્ટેક વેચશે. 


ક્યારે થશે  IPOનું લિસ્ટિંગ?


કંપની 21 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોના શેરોનું એલોટમેન્ટ કરી શકે છે, જ્યારે 22 ડિસેમ્બર સુધી સફળ રોકાણકારોની ડિમેટ એકાઉન્ટમાં ઈક્વિટી શેર રિફંડ કરી દેવામાં આવશે.  IPO શેડ્યુલ મુજબ  BSE અને  NSE પર કંપની 26 ડિસેમ્બરના રોજ કંપની તેના ઈક્વિટી શેરોનું લિસ્ટિંગ કરાવશે. ઉલ્લેખનિય છે કે 25 ડિસેમ્બરના રોજ ક્રિસમસના કારણે શેર બજારમાં રજા રહેશે.


ગ્રે માર્કેટમાં શું ભાવ ચાલી રહ્યો છે?


મુથૂટ માઈક્રોફિનના IPOને ગ્રે માર્કેટમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ગુરૂવારની સવારે તેના માટે 105 રૂપિયાનું પ્રિમિયમ કોટ કરવામાં આવી રહ્યું છે. જો  IPOની પ્રાઈઝ બેન્ડના અપર લેવલ મતલબ કે 291 રૂપિયાનો ભાવ માનવામાં આવે તો પણ ગ્રે માર્કેટમાં હજુ પણ 396 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે. મતલબ કે રોકાણકારોને 36.08 ટકા જેટલી કમાણી થઈ શકે છે. 



22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...

સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.