ઈસ્લામિક કાયદામાં સગીરાના લગ્ન કાયદેસર, કર્ણાટક હાઈકોર્ટે દલીલ ફગાવી, કહ્યું કાનૂનથી ઉપર કાંઈ નહીં


  • Published By :
  • Published Date : 2022-10-31 13:36:09


કર્ણાટક હાઈકોર્ટે આજે મુસ્લિમ  સગીરાના લગ્નને ગેરકાયદે જાહેર કરતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. હાઈકોર્ટે ઈસ્લામ ધર્મ પ્રમાણે થયેલા આવા લગ્નને પણ ગેરકાનૂની ગણાવ્યા છે. કર્ણાટક હાઈકોર્ટ તેના ચૂકાદામાં કારણ આપ્યું કે સગીરાના લગ્ન કરાવવા તે  POCSO કાયદાની જોગવાઈઓનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. એક મુસ્લિમ સગીરા સાથે લગ્ન કરનારા યુવકની જામીન અરજીની સુનાવણી દરમિયાન જસ્ટીસ રાજેન્દ્ર વાદામીકરની હાઈકોર્ટ બેંચે આ ચૂકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તે દલીલ પણ સ્વિકારી ન હતી કે સગીરા પ્યૂબર્ટી મેળવી લે  ત્યાર બાદ કે 15 વર્ષની થવા પર તેના લગ્ન કરવા પર બાળ લગ્ન નિષેધની કલમોનું કોઈ ઉલ્લંઘન ગણાશે નહીં. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદેસર ઉંમર એટલે કે 18 વર્ષ કરતા નાની વયે લગ્ન કરવા તે કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન માનવામાં આવશે.   


સમગ્ર મામલો શું હતો?


બેંગલુરૂના એક આરોગ્ય  કેન્દ્રમાં તપાસ બાદ એક 17 વર્ષની મુસ્લિમ સગીરા ગર્ભવતી મળી આવી હતી. કેમ કે તે સગીરા હોવાથી આરોગ્ય અધિકારીઓએ કેઆર પુરમ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. જામીન માટે અરજીકર્તાના વકીલની દલીલ હતી કે ઈસ્લામિક કાયદા પ્રમાણે યોવનમાં પ્રવેશતી કે 15 વર્ષની ઉંમર પાર કરી ચૂકેલી યુવતી સાથે લગ્ન કરવા તે બાળ લગ્ન ન કહીં શકાય. અને કાયદાની કલમ 9 અને 10 હેઠળ કોઈ ગુનો મનાતો નથી. જો કે હાઈકોર્ટે તે દલીલ ફગાવી દીધી હતી.



રાજ્યમાં વારંવાર થતાં હિટ એન્ડ રનના કેસો ચિંતાનો વિષય છે. આ અકસ્માતોનું મુખ્ય કારણ ડ્રિંક એન્ડ ડ્રાઇવ હોવાનું સામે આવ્યું છે ત્યારે આવા અકસ્માત સર્જનાર નબીરાઓ સાધારણ માણસને માણસ સમજતા જ નથી. પૈસાના જોરે નશા ના રવાડે ચઢેલા નબીરાઓની લાપરવાહીમાં લોકો પોતના જીવ ગુમાવે છે. શું પોલીસ મુકપ્રક્ષક બની રહી છે?

હવે સરકારી દરેક શાળામાં વિધાર્થીઓ ધોરણ 8 ને બદલે 10 સુધી ભણી શકશે. આગામી સ્તરથી ઝોન 7 માં 7 માધ્યમિક શાળાઓમાં ધો.9-10ના વર્ગ શરૂ થશે. AMCની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણના 1 લાખ ૭૦ હજાર વિદ્યાર્થીને ફાયદો થશે. વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળી રહેશે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. ૬ લાખ કરવાનો નિર્ણય લેવાયો..

સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર કે જેઓ ૯ મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા હતા . તેમને પાછા લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનું ડ્રેગન જહાજ પહોંચી ચૂક્યું છે . આજે સવારે સાડા દસ વાગે તેમની ધરતી પર પરત ફરવાની યાત્રા શરુ થઇ ચુકી છે . ભારતીય સમય પ્રમાણે બુધવારના વહેલી સવારના સાડા ત્રણ વાગે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોરનું ડ્રેગન અવકાશયાન ગલ્ફ ઓફ મેક્સિકોમાં લેન્ડ કરશે .

પાકિસ્તાનની જેલમાં કુલ ૧૨૩ ગુજરાતી માછીમારો કેદ છે . આ સ્ફોટક માહિતી ત્યારે બહાર આવી જયારે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો . આ પછી રાજ્યસ્તરના વિદેશમંત્રી કીર્તિવર્ધન સિંહે આ વિશે વિસ્તૃત માહિતી આપી હતી .