Vadodara ખાતે કરાયું મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન, અનેક દર્દીઓએ લીધો કેમ્પનો લાભ


  • Published By :
  • Published Date : 2023-08-02 16:44:26

ગુજરાતના વિવિધ શહેરોમાં વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકોને ઓછા પૈસામાં સારી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બાળકો આજકાલ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો શિકાર બની રહ્યા છે. મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક એવી બિમારી છે જે શરૂઆતમાં તેનો એટેક વોલેન્ટરી મસલ્સ પર જોવા મળે છે. આ એ મસલ્સ છે જે આપણી હલચલને કંટ્રોલ કરે છે. પરંતુ ધીમે ધીમે તે આખા શરીરને કંટ્રોલ કરી લે છે. જેને લઈ ઓર્ગન્સમાં નબળાઈ જોવા મળતી હોય છે. આ બિમારી એવી છે જે કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. 



શું હોય છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી રોગના લક્ષણ?

જો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના લક્ષણોની વાત કરવામાં આવે તો પગને આગળ વધારવામાં મુશ્કેલી પડે છે, સ્વતંત્ર રીતે બેસવામાં પણ મુશ્કેલી પડવી, શ્વાસ લેતી વખતે મુશ્કેલી પડવી, સીડી પર ચડતી વખતે મુશ્કેલી પડી સહિતના લક્ષણો મુખ્યત્વે દેખાતા હોય છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો બિમારીમાં રાહત મળી શકે છે. ત્યારે વિવિધ શહેરોમાં કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં બાળકોને સારવાર આપવાનું તેમજ માતા પિતાને માર્ગદર્શન આપવાનું કામ કરવામાં આવે છે.         


અનેક દર્દીઓએ લીધો હતો કેમ્પનો લાભ

ત્યારે વડોદરા શહેરમાં અવાર નવાર અનેક પ્રકારના સેવાકીય કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા અટલાદરા સેન્ટર ખાતે બ્રહ્માકુમારી ભવનમાં મસ્કયુલર ડિસ્ટ્રોફી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.  સ્વાતિ ઠક્કર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે પોતે જ આ રોગથી  પિડીત બાળકની માતા છે. અને ફીઝીઓ થેરાપીસ્ટ ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કાર્યકમ યોજાયો હતો. 


સુરત ખાતે યોજાશે આગામી કેમ્પ 

આપણે વિવિધ પ્રકારના કેમ્પનું આયોજન થતું જોયું હશે પરંતુ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવા રોગોના કેમ્પનું આયોજન ભાગ્યે જ જોવા મળે છે. સ્વાતિ ઠક્કર તથા ડોક્ટર હિરલ તવાર દ્વારા આ કેમ્પ યોજવામાં આવતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી દર્દીઓએ લાભ લીધો. હવે આવો આગામી કેમ્પ સુરત ખાતે 13 ઓગસ્ટના રોજ યોજાવાનો છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.