રાજકોટમાં ખેલાયો ખૂની ખેલ! માનસિક રીતે અસ્થિર પિતાએ લીધો માસુમ બાળકીનો જીવ, છરીથી કર્યો હતો બે સંતાન અને પત્ની પર હુમલો


  • Published By :
  • Published Date : 2023-03-08 12:03:40

એક તરફ લોકો જ્યારે ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે તો બીજી તરફ રાજકોટમાં ખુની ખેલ ખેલાયો છે. ધૂળેટીના દિવસે રાજકોટ શહેરના ઈન્દિરા સર્કલ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા પરિવાર પર હુમલો થયો છે. આ હુમલામાં ત્રણ મહિનાની પુત્રીનું મોત થયું છે જ્યારે તેમની પત્ની અને ચાર વર્ષના પુત્રને ઈજાઓ પહોંચી છે. બાળકીએ પોતાના પતિને કારણે જીવ ગુમાવ્યો છે. પિતાએ જ પરિવાર પર હુમલો કર્યો છે. 


મગજથી અસ્થિર પિતાએ લીધો બાળકીનો જીવ  

રાજકોટમાં રહેતા પરિવાર પર પિતાએ જ હુમલો કરતા આ ઘટના અંગે ચર્ચાઓ કરવામાં આવી રહી છે. હુમલાને કારણે ત્રણ મહિનાની દીકરીનું મોત થયું છે. મૃતકની માતાએ કહ્યું કે મારો પતિ મગજથી અસ્થિર છે. દીકરી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. જેમાં નિર્દોષ બાળકીનું મોત નિપજ્યું છે.


ઘાતક હુમલામાં પત્ની અને પુત્ર થયા ઈજાગ્રસ્ત 

આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયા છે. આ ઘટનાક્રમ અંગે પ્રાથમિક વિગતો આપતા પોલીસે જણાવ્યું કે ઈન્દિરા સર્કલ પાસે આવેલા અજંતા એપોર્ટમેન્ટમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પતિએ ચપ્પા વડે પોતાના જ પરિવાર પર હુમલો કર્યો. ઘાતકી હુમલો થતાં તેની પત્ની તેમજ તેના પુત્રને ઈજા પહોંચી છે જ્યારે ત્રણ માસની દીકરીનું મોત થયું છે. 


માતાજીના કહેવા પર પતિએ પરિવાર પર કર્યો હુમલો!

મૃતકના માતાએ નિવેદન આપ્યું કે  જેમાં તેઓ કહી રહ્યા છે કે મારો પતિ માનસિક રીતે અસ્થિર છે. તેણે માતાજી આવતાં હુમલો કર્યો છે. માતાજીએ એમ કહ્યું કે પરિવારના બધાને મારી નાખ, એટલે છરી વડે હુમલો કર્યો છે. આ નિવેદન બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. અને મળતી માહિતી અનુસાર પોલીસે આરોપી પતિ પ્રેમસંગ નેપાળીની અટકાયત કરી દીધી છે. હુમલામાં ઈજાગ્રસ્ત પત્ની અને પુત્રની સારવાર ચાલી રહી છે.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.