કચ્છના મુન્દ્રા પોર્ટમાં DRIનો સપાટો, રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપ્યો, કન્ટેનર જપ્ત કરી તપાસ શરૂ


  • Published By :
  • Published Date : 2023-09-11 22:41:14

કચ્છના મુન્દ્રા પોર્ટ પર  DRIએ પાડેલા દરોડામાં રૂ. 26.80 કરોડનો એન્ટિક સામાન ઝડપાયો છે. DRIની તપાસમાં મિસડિક્લેર કરેલા કન્ટેનરમાંથી કરોડો રૂપિયાનો એન્ટિક સામાન ઝડપાયો છે. આ કન્ટેનરમાંથી જૂના પૂતળા, વાસણો, ચિત્રો, ફર્નિચર અને અન્ય મૂલ્યવાન ચીજો મળી આવી છે. 19મી સદીની અનેક વસ્તુઓ સોના ચાંદી અને અન્ય મૂલ્યવાન પથ્થરોથી બનેલી છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ મુન્દ્રા પોર્ટ પરથી વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ સહિત ઐતિહાસિક કલાકૃતિઓનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.


બાતમીના આધારે કન્ટેનરની તપાસ


ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ ચોક્કસ બાતમીના આધારે UAEથી આયાત કરવામાં આવી રહેલા એક કન્ટેનરની તપાસ હાથ ધરી હતી. UAEથી આવેલા આ કન્ટેનરમાં કિંમતી સામાન નીકળ્યો હતો. જેને કસ્ટમ્સ સમક્ષ વિગતવાર તપાસ માટે "અનકમ્પેઈન્ડ બગેજ ફોર પર્સનલ ઈફેક્ટ" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. DRIની આ તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું. જે પૈકી કેટલાક લેખો 19મી સદીના છે. આમાંના કેટલાક લેખો કિંમતી પથ્થરો, સોના-ચાંદીના બનેલા હતા અથવા સોના/ચાંદીના કોટિંગવાળા હતા. જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. ઉલ્લેખનિય છે કે ડ્ર્ગ્સની તસ્કરી માટે બદનામ મુદ્રા પોર્ટ પરથી બહુમૂલ્ય એન્ટિક ચીજો મળી આવતા સૌને આશ્ચર્ય થયું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.