Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈમાં જન જીવન અસ્ત વ્યસ્ત.. 6 કલાકની અંદર પડ્યો 12 ઈંચ જેટલો વરસાદ...


  • Published By :
  • Published Date : 2024-07-08 11:51:17

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે ભારે તબાહી સર્જાઈ છે.. અનેક જગ્યાઓ પર ભારે વરસાદને કારણે લોકોના મોત થયા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.. મુંબઈમાં આવતો વરસાદ મુંબઈના લોકો માટે આફત બનીને આવે છે.. ત્યાં વરસાદ ચાલુ થાય છે તો અનેક દિવસો સુધી બંધ નથી થતો તેવું કહેવામાં આવે છે.. ત્યારે હમણાં પણ દેશની આર્થિક રાજધાની જળમગ્ન થઈ છે.. મુંબઈમાં વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.. છેલ્લા 6 કલાકની અંદર 12 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે જન જીવન અસ્ત વ્યસ્ત 

મુંબઈમાં ભારે વરસાદને કારણે સામાન્ય માણસને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે... માયા નગર તરીકે ઓળખવામાં આવતી મુંબઈ નગરીના પૈડા વરસાદને કારણે થંભી ગયા છે.થોડા કલાકની અંદર રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. 6 કલાકના સમયગાળા દરમિયાન 11થી 12 ઈંચ જેટલો વરસતા ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે.. ભારે વરસાદને કારણે સ્કૂલો તેમજ કોલેજો બંધ રાખવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. 

આસામમાં પણ પૂર જેવી પરિસ્થિતિ

ભારે વરસાદની સૌથી વધારે અસર ટ્રેનો પર પડી છે.. અનેક ટ્રેનોને રદ્દ કરવામાં આવી છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ના માત્ર ટ્રેનોને અસર પહોંચી છે પરંતુ અનેક બસોના રૂટને બદલવાની ફરજ પડી છે.. પુર જેવી સ્થિતિ ના માત્ર મુંબઈમાં છે પરંતુ આસામમાં પણ આવી જ પૂર જેવી સ્થિતિ છે.. અનેક લોકોના મોત થઈ ગયા છે.     



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે