Mumbai : વરસાદ અને તોફાને મચાવી તબાહી! ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર લગાવેલું હોર્ડિંગ તૂટી પડ્યું અને સર્જાઈ મોટી દુર્ઘટના! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-05-14 12:01:24

રાજ્યના તેમજ દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો આવ્યો છે... ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં તો ઠંડક થઈ પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ.. આંધી તૂફાન સાથે આવેલા વરસાદને કારણે જાનહાની પણ થઈ છે.. મુંબઈના ઘાટકોપરમાં એક દુર્ઘટના સર્જાઈ હતી.. જોરદાર પવનના કારણે પેટ્રોલ પંપ ઉપર આવેલું એક મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને 14 જેટલા લોકોના મોતનું કારણ બન્યું.. 88 લોકો આ દુર્ઘટનાને કારણે ઈજાગ્રસ્ત થયા છે તેવી માહિતી સામે આવી છે.. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે...

 

હોર્ડિંગ પડી જવાને કારણે થયા અનેક લોકોના મોત 

મુંબઈમાં વાવાઝોડાને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.... આંધી વંટોળ જેવું વાતાવરણ સર્જાયું, વાતાવરણમાં પલટો આવ્યો, તેજ હવા વહેવા લાગી, વરસાદ આવ્યો... આ ઘટનામાં એક દુર્ઘટના સર્જાઈ... ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર લાગેલું મોટું હોર્ડિંગ અચાનક પડી ગયું અને અનેક લોકોના મોતનું કારણ બન્યું. ત્યાં હાજર લોકો પર હોર્ડિંગ પડી ગયું, ગાડીઓ પણ દટાઈ ગઈ.. 14 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે  અનેક લોકોની સારવાર ચાલી રહી છે તેવી માહિતી સામે આ વી છે... ખરાબ હવામાનને કારણે અનેક ફ્લાઈટોને પણ ડાઈવર્ટ કરવામાં આવી હતી તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.. મુંબઈથી જે દ્રશ્યો સામે આવ્યા તે ભયંકર હતા. જે હોર્ડિંગ પડ્યું તે ગેરકાયદેસર હતું તેવું નિવેદન બીએમસી દ્વારા આપવામાં આવ્યું છે.. 

ગુજરાતમાં પણ થયા ત્રણ જેટલા લોકોના મોત 

મહત્વનું છે કે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.. અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ આવ્યો જેને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ.. કરા સાથે વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદ તેમજ વીજળી પડવાને કારણે ત્રણ લોકોના મોત ગુજરાતમાં થયા છે તેવી માહિતી સામે આવી છે.. અનેક પશુઓના પણ મોત થઈ ગયા છે... આગામી દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે....    



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.