મુકેશ અંબાણીએ પૂત્ર વધુ સાથે શ્રીનાથજીના દર્શન કર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 12:47:33

ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવાર નાથદ્વારા સ્થિત શ્રીનાથજીમાં ખૂબ માને છે.  શ્રીનાથજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા અંબાણી પરિવારના સભ્ય અનેક વખત શ્રીનાથજીના દર્શને આવે છે. ત્યારે મુકેશ અંબાણી પોતાની પુત્રવધુ સાથે દર્શન માટે નાથદ્વારા પહોંચ્યા હતા. કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને આવે છે. 

Mukesh Ambani and Family take blessings from Lord Shrinathji on their visit  to Nathdwara near Udaipur on 12 September

અંબાણી પરિવારની શ્રીનાથજી પર  આસ્થા

પુષ્ટી માર્ગના અનુયાયી મુકેશ અંબાણી નાથદ્વાર સ્થિત શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત ઈશા અંબાણીના લગ્નની શરૂઆત  પહેલા શ્રીનાથજીની મહાઆરતી કરવામાં આવી હતી.  નીતા અંબાણીએ મધુરાષ્ટકમ પર નૃત્ય કર્યું હતું. કોઈ પણ મોટા કાર્યનો પ્રારંભ કરતા પહેલા અંબાણી પરિવાર શ્રીનાથજીના દર્શને અવશ્ય આવતા હોય છે. ધીરૂભાઈ અંબાણી અને કોકિલા અંબાણી પણ શ્રીનાથજી પર અતુટ આસ્થા ધરાવે છે. તે ઉપરાંત અંબાણી પરિવારની નવી પેઠી પણ શ્રીનાથજીમાં આસ્થા ધરાવે છે. તાજેતરમાં મુકેશ અંબાણી અને રાધિકા શ્રીનાથજીના દર્શને આવ્યા હતા. તે ઉપરાંત અનંત અંબાણી પર નિયમિત પણે શ્રીનાથજીના દર્શને આવે છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.