મુકેશ અંબાણી કાર માર્કેટમાં પણ કરશે એન્ટ્રી, MG Motors ખરીદવાની તૈયારીમાં, વર્ષના અંત સુધીમાં પુરી થશે ડીલ


  • Published By :
  • Published Date : 2023-05-12 19:47:28

દેશના અગ્રણી બિઝનેસ મેન મુકેશ અંબાણી હવે ઓટોમોબાઈલ ક્ષેત્રે ઝંપલાવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ મુકેશ અંબાણી દેશની જાણીતી મોટર કંપની એમજી મોટર (MG Motor)નો બિઝનેસ ખરીદવા જઈ રહ્યા છે. આ રીતે અંબાણી પેટ્રોકેમિકલ બાદ નવા ઓટોમોબાઈલ બિઝનેસમાં પણ પ્રવેશી રહ્યા છે. મળતા સમાચારો મુજબ MG Motorની ચીનની પેરેન્ટ કંપની SAIC તેનો બહુમતી હિસ્સો વેચવા માગે છે. જે માટે તે દેશના અગ્રણી બિઝનેસ હાઉસ સાથે ચર્ચા કરી રહી છે. 


SAIC કંપની આ ગ્રુપ સાથે કરી રહી છે ચર્ચા


SAIC તેનો ભારતમાં કાર્યરત ઓટો મોબાઈલ બિઝનેશનો મેજોરીટી હિસ્સો વેચવા માગે છે. આ માટે કંપની દેશની અગ્રણી કંપનીઓ જેવી કે હીરો ગ્રુપ, પ્રેમજી ઈન્વેસ્ટ અને જેએસડબલ્યુ ગ્રુપનો પણ સમાવેશ થાય છે. જો કે આમાં રિલાયન્સ ગ્રુપ સૌથી આગળ છે. આ માલે એમ જી મોટર આ વર્ષના અંત સુધીમાં ડીલ પુરી કરી શકે છે. મુકેશ અંબાણી જે એમજી મોટરને ખરીદવાની તૈયારીમાં છે.  


શા માટે એમજી મોટરમાં હિસ્સો વેચી રહી છે કંપની?


એમજી મોટરની પેરેન્ટ કંપની SAIC તેનો મેજોરીટી હિસ્સો વેચી રહી છે, તેનો અર્થએ કે કંપની એમજી મોટર ઈન્ડિયા પોતાનો 50 ટકાથી પણ વધુ હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે. જો આ ડિલ પુરી થઈ જાય છે તો એમ જી મોટરના ભારત સ્થિત ઓટો મોબાઈલ બિઝનેશ પર રિલાયન્સ ગ્રુપનો કબજો થઈ જશે. હકીકતમાં એમજી મોટરને તેના બિઝનેશને આગળ વધારવા માટે નાણાંની જરૂર છે. આ માટે તે પોતાની  કંપનીનો મોટાભાગનો હિસ્સો વેચવા માગે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.