મુકેશ અંબાણીને હવે Z+ સુરક્ષા મળી, IBના રિપોર્ટ બાદ ગૃહમંત્રાલયનો નિર્ણય


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-29 17:34:46

ગૃહમંત્રાલયે દેશના જાણિતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષાને વધારી દીધી છે. મુકેશ અંબાણીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવશે. અત્યાર સુધી તેમની પાસે ઝે કેટેગોરીની સુરક્ષા હતા. ઈન્ટેલિજન્સ બ્યૂરોની રિપોર્ટ બાદ હવે મુકેશ અંબાણીને ઝેડ પ્લસ કેટેગોરીની સુરક્ષા આપવામાં આવશે. 


શું હોય છે ઝેડ પ્લસ સિક્યોરિટી

વેરી વેરી ઈમ્પોર્ટન્ટ પર્સનને ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવે છે. આ સિક્યોરિટીમાં ચારે બાજુ સિક્યોરીટી આપવામાં આવે છે. આ કેટેગરીમાં 58 કમાન્ડો હોય છે. આ સિવાય 10 હથિયાર સાથેના સ્ટૈટિક ગાર્ડ હોય છે, 6 પીએસઓ, 24 જવાન, 5 વોચર્સ બે શિપ્ટમાં કામ કરે છે. આ સિવાય એક ઈન્સપેક્ટર અથવા સબ ઈન્સપેક્ટર ઈન્ચાર્જ ખડેપગે સેવા આપે છે. આ સિવાય 24 કલાક માટે 6 ડ્રાઈવર આપવામાં આવે છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે