મુકેશ અંબાણીએ કરી Jio 5Gની જાહેરાત, જાણો ક્યારે મળશે સર્વિસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-29 16:12:37

રિલાયન્સ જીઓની 5G સેવાની આતુરતાથી રાહ જોઈ રહેલા લોકોની ઈચ્છા અંતે પુરી થઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  (RIL)ની 45મી એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જીઓની 5G સર્વિસની જાહેરાત કરી હતી. RILના રોકાણકારોને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કરતા મુકેશ અંબાણીએ જણાવ્યું કે બ્રોડબ્રેન્ડની સ્પીડ હવે પહેલાની તુલનામાં ઘણી ફાસ્ટ હશે. કંપની ઓછામાં ઓછી કિંમતે તેની 5G સેવા આપશે. તે સાથે જ કનેક્ટેડ સોલ્યૂશન પણ આપવામાં આવશે. આ સર્વિસ દ્વારા દેશભરમાં 100 મિલિયન ઘરોને કનેક્ટ કરવામાં આવશે.


એડવાન્સ SA ટેકનોલોજી પર આધારીત  5G સેવા


કંપનીની  5G સેવા અંગે માહિતી આપતા મુકેશ અંબાણીએ જમાવ્યું કે જીઓની 5G સર્વિસ અદ્યતન SA ટેકનોલોજી પર આધારીત હશે. દેશની અન્ય ટેલીકોમ કંપનીઓ જુના સોલ્યુશનનો ઉપયોગ કરીને તેમની  5G સર્વિસ લોન્ચ કરી રહી છે, જ્યારે JIO સ્ટેંડએલોન 5G સર્વિસનો ઉપયોગ કરશે.


મેટ્રો શહેરોમાંથી થશે પ્રારંભ


આ  5G નેટવર્ક માટે કંપની 2 લાખ કરોડ ખર્ચ કરશે. દિવાળીના સમયે જીઓ 5G લોન્ચ કરવામાં આવશે. આ સર્વિસને સૌથી પહેલા મેટ્રો શહેરોમાં લોન્ચ કરવામાં આવશે.  વર્ષ 2023ના ડિસેમ્બર સુધીમાં દરેક શહેરમાં જીઓ 5G લોન્ચ કરવામાં આવશે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે