મનોજ મોદીને મુકેશ અંબાણીએ આપી 1500 કરોડની ભેટ! જાણો કોણ છે મનોજ મોદી જેમને મળ્યું 22 માળનું ઘર!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:35:59

અંબાણી પરિવાર તેમની રહેણી કરણી તેમજ દિલદાર સ્વભાવને કારણે ચર્ચામાં રહે છે. એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી ફરી એક વખત તેમના સ્વભાવને કારણે ચર્ચમાં આવ્યા છે. લાંબા સમયથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના કર્મચારી અને પોતાના નજીકના લોકોમાં સામેલ મનોજ મોદીને 1500 કરોડનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને 22 માળનું ઘર ભેટમાં આપ્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો રાઈટ હેન્ડ માનવામાં આવે છે પરંતુ તેમને અંબાણી પરિવારના નજીકના મિત્ર પણ માનવામાં આવે છે. 

manoj modi ambani gifted house of 1500 crore

અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં નિભાવી છે ભૂમિકા!

મુકેશ અંબાણી જેમને 1500 કરોડનું ઘર ભેટમાં આપતા હોય તે નાની વ્યક્તિ તો હોય નહી. જો મનોજ મોદી વિશે વાત કરીએ તો મનોજ મોદીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના માસ્ટર માઈન્ડ ગણવામાં આવે છે. મુકેશ અંબાણીના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તેમણે સંભાળ્યા છે. જેવા કે હજીરા પેટ્રોક્ટસ, જામનગર રિફાઈનરી, ટેલીકોમ બિજનેસ અને રિલાયન્સ રિટેલ જેવા મોટા પ્રોજેક્ટ તે સંભાળી ચૂક્યા છે. રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવેલું જીઓમાં પણ મનોજ મોદીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 


22 માળનું ઘર મુકેશ અંબાણીએ કર્યું ગિફ્ટ!

મનોજ મોદીએ ન માત્ર મુકેશ અંબાણી સાથે કામ કર્યું છે પરંતુ ધીરૂભાઈ અંબાણી સાથે પણ કામ કર્યું છે. તે ઉપરાંત ઈશા-આકાશ અને અનંત અંબાણી સાથે પણ કામ કર્યું છે. મતલબ મનોજ મોદીએ અંબાણી પરિવારની ત્રણ પેઢી જોડે કામ કર્યું છે. જેમ એન્ટિલિયા 27 માળનું આલિશાન ઘર છે તેમ જ મનોજ મોદીને ભેટમાં મળેલું ઘર આલીશાન છે. 1500 કરોડના ઘરની વાત કરીએ તો ઘરનું નામ વૃંદાવન રાખવામાં આવ્યું છે. આ ઘર નેપિયન-સી રોડ પર સ્થિત છે. 7 ફ્લોર તો માત્ર કાર પાર્કિંગ માટે જ બનાવામાં આવ્યા છે. ત્યારે આવા બોસની દિલદારીને જોઈને તમને પણ થતું હશે આવા બોસ ભગવાન બધાને આપે...            




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.