ભારતની પાકિસ્તાન સામે શાનદાર જીત, રિઝવાન આઉટ થતા પ્રેક્ષકોએ લગાવ્યા જય શ્રી રામના નારા, VIDEO વાયરલ


  • Published By :
  • Published Date : 2023-10-15 10:10:02

ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવીને તેનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાયેલી અત્યાર સુધીની તમામ વર્લ્ડ કપ મેચમાં ભારતે તેના કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને હરાવ્યું છે આ વખતે પણ આ સિલસિલો જળવાઈ રહ્યો છે. 14 ઓક્ટોબરે યોજાયેલી મેચમાં પાકિસ્તાનની સમગ્ર ટીમ માત્ર 191 રનમાં ધરાશાઈ થઈ ગઈ હતી, ભારતે 3 વિકેટ ગુમાવીને 30.3 ઓવરમાં 192 રન બનાવી સરળતાથી જીત મેળવી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને સાત વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું, જો કે આ મેચ દરમિયાન પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન તેની તેની વિકેટ ગુમાવી પવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ટીમ ઈન્ડિયાના ફેન્સએ સ્ટેડિયમમાં જય શ્રી રામ...જય શ્રી રામના નારા લગાવ્યા હતા. રિઝવાનને ચીડવતા ભારતીય પ્રેક્ષકોનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.


શા માટે લગાવ્યા જય શ્રી રામના નારા?


પાકિસ્તાની ટીમના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને શ્રીલંકા સામે સદી ફટકાર્યા પછી તે મેન ઓફ ધ મેચ બન્યો હતો અને ત્યાર બાદ તે સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લોકો તેનો વિરોધ કરી રહ્યા હતા અને ICCને આ મુદ્દે કડક એક્શન લેવાની માગ કરી હતી. રિઝવાને તેની શાનદાર ઇનિંગ બાદ ટ્વિટર પર એક પોસ્ટ કરી હતી. તેણે લખ્યું, "આ (ઈનિંગ) ગાઝામાં અમારા ભાઈઓ અને બહેનો માટે હતી. જીતમાં યોગદાન આપીને સારું લાગ્યું. આ જીતનો શ્રેય આખી ટીમ અને ખાસ કરીને અબ્દુલ્લા શફીક અને હસન અલીને જાય છે. "જેમણે તેને સરળ બનાવ્યું. હૈદરાબાદના લોકોના અદ્ભુત આતિથ્ય અને સમર્થન માટે હું ખૂબ આભારી છું."


આ મામલે ICCએ શું કહ્યું? 


મોહમ્મદ રિઝવાને 10 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી શ્રીલંકા સામેની તેની સદી ગાઝાના લોકોને સમર્પિત કરી હતી. મોહમ્મદ રિઝવાનના આ ટ્વીટ બાદ ICC પાસે કાર્યવાહીની માંગ ઉઠી હતી. મોહમ્મદ રિઝવાનની આ પોસ્ટ પછી ભારતના લોકો ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરવા લાગ્યા હતા. ભારતના લોકોએ આઈસીસીને આ મુદ્દે પગલાં લેવા જણાવ્યું હતું. હવે ICCએ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે, "આ મુદ્દો મેદાનની બહારનો છે. તે તેમના વિસ્તારમાં નથી. આ વ્યક્તિગત અને તેના બોર્ડનો મામલો છે."



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.