વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિની નમાઝ પઢતી હોવાનો વીડિયો વાયરલ થતા હડકંપ


  • Published By :
  • Published Date : 2023-01-16 13:06:38

રાજ્યની એક સમયની સૌથી પ્રતિષ્ઠિત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સતત વિવાદોમાં ભોગ બની રહી છે. હવે આ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરી એકવાર એક વિવાદનું કેન્દ્ર બની છે. આ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થિની દ્વારા નમાઝ પઢવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના શુક્રવારની હોવાનું અને સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં બની હોવાનું સામે આવ્યું છે. જોકે, આ વીડિયોની જમાવટ પુષ્ટિ કરતું નથી


કોણ છે આ વિદ્યાર્થીની?


યુનિવર્સિટીના સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શુક્રવારના એટલે કે ઉત્તરાયણના તહેવારના એક દિવસ પૂર્વે   યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા પતંગોત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન બૉટની ડિપાર્ટમેન્ટમાં એક બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલેરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થીનીએ નમાઝ પઢી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. જો કે આ વિદ્યાર્થિની કોણ છે તે અંગે માહિતી મળી શકી નથી. 


વીડિયો વાઇરલ થતા વિવાદ


યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના બૉટની ડિપાર્ટમેન્ટમાં એક મુસ્લિમ વિદ્યાર્થીની લોબીમાં નમાઝ પઢી રહી હતી તેનો વીડિયો કોઈએ બનાવ્યો હતો. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાને લઇને આ સતત ત્રીજો વિવાદ સામે આવ્યો છે. આ પૂર્વે યુનિવર્સિટીના પરિસરમાં આવેલી સંસ્કૃત મહાવિદ્યાલયના ગેટની સામે એક યુવક અને યુવતી દ્વારા નમાઝ પઢવામાં આવતી હોવાનો વીડિયો વાઇરલ થતાં હડકંપ મચી ગયો હતો. જો કે આવા મામલે એમ.એસ.યુનિવર્સિટીનું તંત્ર આ મામલે લાચાર સાબિત થતું જણાઈ રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.