MP : પિતાએ કરી 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી! ત્રીજા સંતાનમાં પુત્ર નહીં પરંતુ જોઈ હતી દીકરી! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-16 15:50:38

આપણે કહેતા હોઈએ છીએ કે દીકરો - દીકરી એક સમાન છે. અનેક લોકોને આવી વાતો કરતા સાંભળ્યા હશે. પરંતુ જ્યારે આ વાતને માનવાની આવે ત્યારે? ત્યારે દીકરો વ્હાલો હોય છે દીકરી કરતા. અનેક એવી ઘટના સામે આવતી હોય છે જેમાં દીકરીનો જન્મ થયો હોય તો તેને મારી નાખવામાં આવે છે, લોકોને દીકરો વ્હાલો હોય છે. લોકો ઈચ્છતા હોય છે કે તેમના ઘરમાં દીકરાનો જન્મ થાય પરંતુ મધ્યપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દીકરીનો જન્મ ન થતા પિતાએ પોતાના નવજાત દીકરાને મોતને ઘાટ ઉતાર્યો છે. 

पिता ने कर दी नवजात बेटे की हत्या

12 દિવસના પુત્રને પિતાએ ઉતાર્યો મોતને ઘાટ

આ સમાચાર સાંભળીને નવાઈ લાગી હશેને કે હજી સુધી દીકરા માટે દીકરીની હત્યા અનેક કરતા આવ્યા છે ત્યારે દીકરી માટે કોઈએ પોતાના નવજાત દીકરાની હત્યા કરી નાખી. ઘટના મધ્યપ્રદેશના બૈતુલની છે જ્યાં એક પિતાએ પોતાના 12 દિવસ પહેલા જન્મેલા દીકરાની હત્યા કરી નાખી છે. પિતાએ 12 દિવસ પહેલા જન્મેલા દીકરાને એટલા માટે મોતને ઘાટ ઉતાર્યો કારણ કે ઈચ્છતા હતા કે તેમનું ત્રીજુ સંતાન દીકરી થાય. પહેલેથી બે દીકરા તેમના હતા. મળતી માહિતી અનુસાર હત્યા કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. નશાની હાલતમાં પોતાના નવજાત સંતાનનું ગળું દબાવી દીધું અને તેને મારી દીધો. 


નશાની હાલતમાં બાળકનું ગળું દબાવ્યું 

મળતી માહિતી અનુસાર આ ઘટના રવિવારની છે. બૈતુલ કોરવાલી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા બજ્જરવાડા ગામમાં આવી ક્રૂર ઘટના બની છે. નશાની હાલતમાં આવેલા પિતાએ પોતાના બાળકને મોતને ઘાટ ઉતાર્યો. જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે તેવી માહિતી સામે આવી છે. પોલીસને મૃતકની માતાએ જણાવ્યું કે દારૂના નશામાં આવેલા તેના પતિ અનિલે તેની સાથે મારપીટ કરી અને પછી તેની પાસેથી બાળકને છીનવી લીધો. રુચિકા ડરને કારણે ત્યાંથી ભાગી ગઈ. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.