રોજગાર મેળામાં સાંસદ રામ મોકરિયાએ આપ્યું વિવાદીત નિવેદન, કહ્યું 'દેશ અને રાજ્યમાં બેરોજગારી નથી'


  • Published By :
  • Published Date : 2023-05-16 17:03:18

એક તરફ જ્યારે લોકો રોજગારી માટે ફાંફા મારી રહ્યા છે. અનેક લોકો બેરોજગાર બની નોકરીની તલાશમાં છે ત્યારે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ બેરોજગારીને લઈને જે નિવેદન આપ્યું છે તે ચર્ચામાં છે. રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી, હાલ તમામ જગ્યાઓએ રોજગાર ઉપલબ્ધ છે. તે સિવાય તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેતી માટે કામ કરનારા મળતા નથી. તેમજ મોટા પ્રમાણમાં નોકરી છે પણ લોકો નથી મળતા. 



71 હજાર લોકોને આપવામાં આવી રોજગારી!   

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી વર્ચ્ચુયલી જોડાયા હતા અને આ કાર્યક્રમમાં 71000 જેટલા લોકોને નોકરી આપવામાં આવી હતી. યુવા પેઠીને અપોઈન્મેન્ટ લેટર આપવામાં આવ્યા હતા. 45 જગ્યાઓ પર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોને અપોઈન્મેન્ટ લેટર આપ્યા બાદ પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે 70 હજારથી વધારે યુવાનોને ભારત સરકારના અલગ અલગ વિભાગોમાં સરકારી નોકરી મળી છે. ઘણી મહેનત પછી તમે લોકોએ સફળતા પ્રાપ્ત કરી છે. હું તમને અને તમારા પરિવારને શુભેચ્છા પાઠવું છું.  


કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીના કર્યા વખાણ!

દેશના અલગ અલગ રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે પણ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી ઓનલાઈન જોડાયા હતા. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, લોકસભા સાંસદ મોહન કંડોરિયા હાજર હતા તે સિવાય દર્શના જરદોશ સહિત ભાજપના અનેક નેતાઓ હાજર હતા. કાર્યક્રમમાં રામ મોકરિયાએ કહ્યું કે વડાપ્રધાન મોદીના કહેવાથી બે દેશો યુદ્વવિરામ જાહેર કરે છે અને દેશના યુવાનોને સહીસલામત તેમના ઘર સુધી સરકાર દ્વારા પહોંચાડવામાં આવે છે. પીએમ દ્વારા આટલી સારી રીતે કામ કરવામાં આવતું હોય ત્યારે લોકોએ સ્વચ્છતા, પાણી બચાવો સહિતના નિયમોનું પાલન  કરવા જેવાં કાર્યોમાં સહકાર આપવો જોઈએ. જેથી દેશ વધુમાં વધુ પ્રગતિ કરે.


સરકારી ચોપડે બોલે છે આટલા બેરોજગાર!

પીએમના વખાણ કર્યા ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ પોતાના સંબોધનમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે દેશ અને રાજ્યમાં જરાય બેરોજગારી છે જ નહીં. ઘરે કામવાળી અને ઓફિસમાં પટ્ટાવાળા કામ માટે મળતાં નથી. હાલ તમામ જગ્યાઓ રોજગાર ઉપલબ્ધ છે.  આ વાતને નકારી શકાય એમ પણ નથી પરંતુ શું ભણ્યા પછી પણ અનેક બેરોજગારો છે એનું શું?  ત્યારે સાહેબશ્રીને એટલું જ પૂછવાનું મન થાય કે સરકારી ચોપડે જે બેરોજગારો બોલે છે તે આંકડો ખોટો છે? સરકારી ચોપડે 2 લાખ 83 હજાર જેટલા બેરોજગારો નોંધાયા છે. જ્યારે 2 લાખ 70 હજાર 922 જેટલા શિક્ષિત બેરોજગાર નોંધાયેલા છે. આ આંકડો વિધાનસભામાં સરકારે રજૂ કરેલો છે. કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!