માફિયા મુખ્તાર અંસારીને UPના ગાઝીપુરની MP-MLA કોર્ટે ફટકારી 10 વર્ષની સજા, 5 લાખનો દંડ


  • Published By :
  • Published Date : 2023-04-29 16:04:49

માફિયા મુખ્તાર અંસારી પર ગેંગસ્ટર કેસમાં કોર્ટનો ચુકાદો આવી ગયો છે. મુખ્તાર અંસારીને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. તે સાથે જ પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મુખ્તાર અંસારી સામે બિજેપીના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાયના ખુન કેસમાં સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે વારાણસીના વેપારી નંદકિશોર રૂંગટાના અપહરણ કેસને પણ આધાર બનાવીને મુખ્તારને સજા સંભળાવી છે. 


સમગ્ર મામલો શું છે?

 

અત્રે ઉલ્લેખનિય છે કે 29 નવેમ્બર, 2005ના રોજ, ગાઝીપુરના ભંવરકોલ પોલીસ સ્ટેશન હેઠળના સિયાડી ગામમાં એકે-47 જેવા અત્યાધુનિક હથિયારોથી 400 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરીને ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય સહિત સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે સાત લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે BHU લાવવામાં આવી રહ્યા હતા, ત્યારે બીજેપી ધારાસભ્યના સમર્થકો ઉશ્કેરાયા હતા અને વિવિધ સ્થળોએ તોડફોડ અને હિંસા થઈ હતી.


આ કેસમાં વર્ષ 2007માં ગેંગસ્ટર એક્ટ્ હેઠળ અફઝલ અંસારી અને માફિયા ડોન મુખ્તાર અંસારી અને બંનેના બનેવી એઝાઝુલ હક સામે કેસ નોંધાયો હતો. આ ઘટનામાં સામેલ એઝાઝુલ હકનું મોત થઈ ચુક્યું છે. આ કેસની સુનાવણી 1 એપ્રીલે પુરી થઈ હતી અને આજે તેમને સજા સંભળાવવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.