સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટરો મૂકવા રાજી નથી'


  • Published By :
  • Published Date : 2023-09-05 19:01:44

ભાજપના અગ્રણી આદિવાસી નેતા અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા તેમની જ પાર્ટીના નેતાઓ વિરૂધ્ધ નિવેદનો આપી વિવાદ સર્જતા રહે છે. આજે તેઓ અચાનક જ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટને જાહેરમાં ખખડાવી નાંખ્યા હતા. આ સાથે જ તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અનેક રજુઆત બાદ પણઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકવા રાજી નથી તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત અન્ય બીમારીથી પીડિત ડેડીયાપાડાનો દર્દી સાજો થાય, તે પહેલા તેને હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દેતા સમગ્ર મામલે મનસુખ વસાવા સુધી પહોંચ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોનો અભાવ હોવા અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


મનસુખ વસાવાએ શું કહ્યું?


મનસુખ વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ બીમારીઓ માટે નિષ્ણાંત તબીબોની આવશ્યક્તા છે. જો કે નિષ્ણાંત તબીબો ના હોવાના કારણે સાજા થયા વિના જ અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ ડેડીયાપાડાથી આવે છે. ડેડીયાપાડીની હોસ્પિટલ 6 મહિના કરતા વધારે સમયથી બનીને તૈયાર છે, પરંતુ ત્યાં એક જ તબીબ હોવાથી ઉદ્ઘાટન કરવામાં આવતું નથી. વધુમાં તેમણે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડી હોસ્પિટલ સંદર્ભે મેં વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જાણ કરી હતી. જો કે ઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા તબીબો મૂકવા માટે રાજી નથી અને કોઈને કોઈ બહાના કાઢ્યા રાખે છે."


આદિવાસી વિસ્તાર માટે ઋષિકેશ પટેલનું ઓરમાયું વલણ


મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે આજથી 20-25 વર્ષ પહેલા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ક્વોલિફાઈ તબીબો હતા. જો કે હાલ કોઈના કોઈ કારણોસર સારા તબીબો અહીં આવતા જ નથી. રાજપીપળા સિવિલ હોસ્પિટલને ક્વોલિફાઈડ તબીબોની જરૂર છે. આ ઉપરાંત જે સાધનો ખૂટી રહ્યાં છે, તે પણ આવવા જોઈએ. હું 6 મહિનાથી રજૂઆત કરું છું અને તેમણે પણ ઋષિકેશ પટેલનું પણ ધ્યાન દોર્યું છે. જો કે મને લાગે છે કે, આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ જાડી ચામડીના છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!