સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આરોપ, 'ઋષિકેશ પટેલ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટરો મૂકવા રાજી નથી'


  • Published By :
  • Published Date : 2023-09-05 19:01:44

ભાજપના અગ્રણી આદિવાસી નેતા અને ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા તેમની જ પાર્ટીના નેતાઓ વિરૂધ્ધ નિવેદનો આપી વિવાદ સર્જતા રહે છે. આજે તેઓ અચાનક જ રાજપીપળા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટને જાહેરમાં ખખડાવી નાંખ્યા હતા. આ સાથે જ તેમણે રાજ્યની ભાજપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે અનેક રજુઆત બાદ પણઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા ડોક્ટર મુકવા રાજી નથી તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત અન્ય બીમારીથી પીડિત ડેડીયાપાડાનો દર્દી સાજો થાય, તે પહેલા તેને હોસ્પિટલે ડિસ્ચાર્જ કરી દેતા સમગ્ર મામલે મનસુખ વસાવા સુધી પહોંચ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોનો અભાવ હોવા અંગે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.


મનસુખ વસાવાએ શું કહ્યું?


મનસુખ વસાવાએ રાજપીપળા સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં અલગ-અલગ બીમારીઓ માટે નિષ્ણાંત તબીબોની આવશ્યક્તા છે. જો કે નિષ્ણાંત તબીબો ના હોવાના કારણે સાજા થયા વિના જ અનેક દર્દીઓને રજા આપી દેવામાં આવે છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ ડેડીયાપાડાથી આવે છે. ડેડીયાપાડીની હોસ્પિટલ 6 મહિના કરતા વધારે સમયથી બનીને તૈયાર છે, પરંતુ ત્યાં એક જ તબીબ હોવાથી ઉદ્ઘાટન કરવામાં આવતું નથી. વધુમાં તેમણે રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડી હોસ્પિટલ સંદર્ભે મેં વારંવાર મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ તેમણે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા જાણ કરી હતી. જો કે ઋષિકેશ પટેલ અને તેમની ટીમ આદિવાસી વિસ્તારમાં સારા તબીબો મૂકવા માટે રાજી નથી અને કોઈને કોઈ બહાના કાઢ્યા રાખે છે."


આદિવાસી વિસ્તાર માટે ઋષિકેશ પટેલનું ઓરમાયું વલણ


મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું કે આજથી 20-25 વર્ષ પહેલા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ક્વોલિફાઈ તબીબો હતા. જો કે હાલ કોઈના કોઈ કારણોસર સારા તબીબો અહીં આવતા જ નથી. રાજપીપળા સિવિલ હોસ્પિટલને ક્વોલિફાઈડ તબીબોની જરૂર છે. આ ઉપરાંત જે સાધનો ખૂટી રહ્યાં છે, તે પણ આવવા જોઈએ. હું 6 મહિનાથી રજૂઆત કરું છું અને તેમણે પણ ઋષિકેશ પટેલનું પણ ધ્યાન દોર્યું છે. જો કે મને લાગે છે કે, આરોગ્ય વિભાગમાં ઉચ્ચ અધિકારીઓ જાડી ચામડીના છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.