નેતાઓ બિલ્ડર લોબીની દલાલી બંધ કરી જનતાને સેવા કરો: મનસુખ વસાવા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 17:42:46

ભાજપના નેતાઓ અને બિલ્ડર લોબી વચ્ચેની મિલીભગતને લઈ ભરૂચના સાંસદ મનસુખ વસાવા બરાબરના અકળાયા છે. રાજપીપળા ખાતે નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ  ભાજપના આગેવાનો, બિલ્ડરો અને અધિકારીઓને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા.  મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને જાહેર મંચ પરથી ખખડાવતા રાજકારણ ગરમાયું છે. 


મનસુખ વસાવાએ ભાજપના નેતાઓનો ઉધડો લીધો


મનસુખ વસાવાએ બિલ્ડર લોબી પ્રત્યે ગુસ્સો અને ખેડૂત પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "તંત્રમાં ઘણા બધા લોકોની મિલીભગત છે. નર્મદા જિલ્લામાં ઘણા બિલ્ડર લોબી એ 73AAનો ભંગ કરી જમીનો ખરીદી છે. ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ બાકી ખેડુતો મજૂર બનીને રહી જશે તેવી ચિંતા પણ વ્યક્ત કરી હતી. દહેજ વિસ્તારમાં જે લોકોની જમીન ગઈ છે તેમને મજૂરી પણ મળતી નથી. આપણા જ કેટલાક લોકો બિલ્ડર લોબીની દલાલી કરે છે. કોંગ્રેસના લોકો ભેગું કરવામાં ઘરે જતા રહ્યા જો આપણા લોકો પણ ભેગું કરશે તો તમે પણ ઘરે જતા રહેશો. સરકારને નુકશાન પહોંચાડશે તેવા લોકોને હું ચલાવી નહિ લઉં. નર્મદાના આખે આખા ગામ વેચાઈ જતા મેં રોક્યા છે. નહીં તો કેટલાય ગામો બિલ્ડર લોબીએ ખરીદી લીધા હોત. બિલ્ડરોએ અહીંયા જમીનો ખરીદવા દોટ મૂકી છે. તલાટીઓ મામલતદારોથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ બધા મળેલા છે. સાંસદે નેતાઓને ચીમકી આપતા કહ્યું કે, ખેડૂત મટી જાય એવો ધંધો ન કરતા. નહી તો ખેર નથી. સાચી વાત કહેવામાં આપણને શુ કામ ડર લાગે છે".


સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની મદદ કરવા ભાજપના સિનિયર નેતાઓને ટકોર કરતા કહ્યું કે, હા..હા.હી.હી.. કરવાથી કાંઈ નહીં થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે આપણાં નેતા સાથગાંઠ કરી રહ્યા છે. ભાજપ પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે અને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહી. આ નેતાઓ બિલ્ડર લોબીના કાંધીયાઓની જેમ વર્તન કરી રહ્યા છે.



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.