સાંસદ મનસુખ વસાવાએ ભાજપ વિરૂધ્ધ હૈયાવરાળ ઠાલવતા રાજકારણ ગરમાયું


  • Published By :
  • Published Date : 2023-04-04 21:32:02

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટી ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો છે. મનસુખ વસાવાએ ટ્વિટરના મારફતે ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે "પાર્ટી મને દબાવવાનું કામ કરે છે. હું સ્થાનિક આદિવાસીઓ માટે લડું છું. પાર્ટી માટે લડું છું પણ પાર્ટી મને દબાવે છે. તેમણે વધુમાં કહ્યું કે, પાર્ટીના જ નેતાઓએ ઉચ્ચ કક્ષાએ ખોટા કારણો બતાવી ડિબેટ કેન્સલ કરવામાં આવી જેનું દુઃખ થયું છે." અત્રે ઉલ્લેખનિય છે કે સાંસદ મનસુખ વસાવા અનેક વખત ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે.


ચૈતર વસાવા પર કર્યા પ્રહાર


સાંસદ મનસુખ વસાવાએ આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામેની ઓપન ડિબેટ કેન્સલ થવાને લઈ તેમણે ચૈતર વસાવાને નિશાન બનાવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ   ટ્વીટ કરીને કહ્યું કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ધારાસભ્ય ન હતા ત્યારે પણ સરકારી અધિકારીઓ અને ભાજપ સરકાર વિરુદ્ધ બેફામ બોલતા આવ્યા છે. અને ધારાસભ્ય બન્યા પછી એમને જે સંયમ અને મર્યાદા રાખવી જોઈએ. ધારાસભ્ય ને શોભે તે પ્રકારનું વર્તન હોવું જોઈએ. જેમાં જવાબદાર આગેવાન તરીકે તેવો નિષ્ફળ ગયા છે અને રાતોરાત સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સરકાર વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં અને પાર્ટીનાં આગેવાનોના વિરોધમાં બેફામ ઉચ્ચારણો કરી રહ્યા છે. જેમ કે કલેકટર કચેરી આગળ ધરણાનો કાર્યક્રમ, ફોરેસ્ટ વિભાગ પર ચા-પાણી માટેનો કરોડો રૂપિયાનો ખર્ચનો ખોટો આરોપ તથા સરકાર ને બદનામ કરવાના અનેક પ્રયાસો કર્યા છે. કોઈપણ બાબતે યોગ્ય જગ્યાએ રજુઆત કરવાના બદલે લોકોની વચ્ચે જઈ ડ્રામા કરવાનાં કાર્યક્રમો કરી રહ્યા છે.


સમગ્ર મામલો શું હતો?


ભાજપના સાંસદ મનસુખ વસાવાને નર્મદાના ભાજપ, કોંગ્રેસ, આપના નેતાઓ અધિકારીઓ પાસે હપતા માંગતા હોવાનો નામ સાથેનો એક નનામો પત્ર મળ્યો હતો. બીજી બાજુ મનસુખ વસાવાએ પત્રમાં લખેલી વિગતો સાચી હોવાનું જણાવતા હવે મામલો ગરમાયો હતો. આ નનામા પત્રમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ભાજપના નેતાઓના નામનો પણ ઉલ્લેખ હતો. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવાને ચીમકી આપતો એક પત્ર લખ્યો હતો. જેમાં ચૈતર વસાવા લખ્યું હતું કે, જો આરોપો જાહેરમાં સાબિત નહીં કરો તો બદનક્ષીનો દાવો માંડવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો હતો. ચૈતર વસાવાએ પત્રમાં મનસુખ વસાવાને નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે 3 દિવસમાં ઓપન ડિબેટનો પડકાર ફેંક્યો હતો. મનસુખ વસાવાએ તે ચેલેન્જ સ્વિકારી પણ લીધી હતી, પણ તેઓ 1 એપ્રિલે તે ડિબેટના સ્થળે ન પહોંચતા તેમની ખાસ્સી મજાક ઉડી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.