અર્બુદા સેનાના સ્નેહમિલનમાં MP ભરતસિંહ ડાભીએ PM મોદીને અપાયું આમંત્રણ


  • Published By :
  • Published Date : 2022-11-11 22:26:18

ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે કારણ કે ચૌધરી સમાજના વિપુલ ચૌધરી સામે ગુજરાત સરકારે કાર્યવાહી કરી છે. સમગ્ર બાબતો વચ્ચે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચરાડા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. 

ભાજપ રમી શકે છે મોટો દાવ

વિપુલ ચૌધરી પર કથિત 800 કરોડ રૂપિયાના કૌભાંડનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ચૌધરી સમાજનું માનવું છે કે વિપુલ ચૌધરી પર કાર્યવાહી કરીને ભાજપ વિપુલ ચૌધરીને ફસાવી રહી છે. ચૌધરી સમાજની અબુર્દા સેનાને સાંસદ ભરત ડાભી સમર્થન આપી રહ્યા છે. ત્યારે જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરે કાર્યક્રમમાં આવે તો પોતાના શબ્દોનો જાદુ ચલાવીને મતોમાં વધારો કરી શકે છે. 

માનસિંહ પટેલની જન્મ જયંતી નિમિતે સ્નેહમિલન

દૂધસાગર ડેરીની સ્થાપના કરનાર અને પાંખ આપનાર સ્વ. માનસિંહ ચૌધરીની જન્મ જયંતી નીમિતે એટલે કે 15 નવેમ્બરે સ્નેહ મિલનનું આયોજન રખાયું છે. અર્બુદા સેના હાલ ભાજપથી નારાજ ચાલી રહી છે ત્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવ્યું છે. જો કે આ આમંત્રણ છે પ્રધાનમંત્રી આવશે કે નહીં તે વાત બાદની છે. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.