ઉત્તરાખંડમાં હિમસ્ખલન: 11 પર્વતારોહકોના મોત,18 લોકોને બચાવવા સેનાનું રેસ્ક્યૂ અભિયાન શરૂ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 18:20:51

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ભયાનક હિમસ્ખલનના કારણે 11 પર્વતારોહકોના મોત થયા છે. આ ઘટના દ્રૌપદી કા ડાંડા નામના સ્થળે બની હતી, જ્યાં સામાન્ય રીતે પર્વતારોહણને તાલીમ આપવામાં આવે છે. નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગ (NIM)ના 29 ટ્રેની ગયા હતા. આ હિમસ્ખલનમાં હજુ પણ 18 લોકો ફસાયેલા છે. બીજી તરફ NDRF-SDRF અને સેનાનું રેસ્ક્યુ ઓપરેશન ચાલું છે. 


સેનાનું બચાવ અભિયાન શરૂ


ઉત્તરકાશીના  દ્રૌપદી કા ડાંડા-2 પર ટ્રેકિંગ માટે ગયેલા નહેરુ ઈન્સ્ટીટ્યુટના 29 પર્વતારોહકો બરફના ભારે તોફાનમાં ફસાયા હતા. ત્યાર બાદ પર્વતારોહકોને બચાવી લેવા માટે  તંત્ર દ્વારા તાબડતોબ રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું જેમાં 11 લોકોની લાશ પણ બહાર કાઢવામાં આવી છે. હાલમાં સેનાનું રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે. સેનાએ આઈટીબીપી સાથે મળીને ફસાયેલા પર્વતારાહીનું રેસ્ક્યૂ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. ઈન્ડીયન એરફોર્સ બરફમાં ફસાયેલા પર્વતારોહીને બચાવી લેવા માટે ચિતા હેલિકોપ્ટરને કામે લગાડ્યાં છે. 


રાજનાથ અને અમિત શાહે ટ્વિટ કરી મૃતકો પ્રત્યે દુ:ખ વ્યક્ત કર્યું


સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે અને ગૃહ મંત્રી અમિત શાહે પર્વતારોહકો નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજનાથ સિંહે ટ્વિટર પર કહ્યું કે, “ઉત્તરકાશીમાં નેહરુ પર્વતારોહણ સંસ્થા દ્વારા કરવામાં આવેલા પર્વતારોહણ અભિયાનમાં ભૂસ્ખલનને કારણે જાનહાનિ અને સંપત્તિના નુકસાનથી ખૂબ જ દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.