તમામ કષ્ટોનો નાશ કરતી માતા કાલરાત્રિ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-02 10:59:56

નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ રૂપોની પૂજા કરવામાં આવે છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની ઉપાસના કરવામાં આવે છે. માતા દુર્ગાનું સાતમું સ્વરૂપ છે માતા કાલરાત્રિ. એવુ કહેવામાં આવે છે તે જે પણ માતા કાલરાત્રિની ઉપાસના કરે તેના તમામ કષ્ટો માતા દૂર કરે  છે. આ સ્વરૂપ માતાનું રોદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. માતાના આ સ્વરૂપની પૂજા કરવાથી ભય અને રોગનો નાશ થાય છે.

કેવી રીતે થઈ કાલરાત્રિની ઉત્પતિ?

શાસ્ત્રોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે માતા પાર્વતીએ દુષ્ટોનો નાશ કરવા આ રૂપ ધારણ કર્યું હતું. શુંભ, નિશુંભ અને રક્તબીજનો વધ કરવા માતાએ કાલરાત્રિનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાત્રીના અંધકાર જેવો તેમનો વર્ણ હોવાથી તેમને કાલરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે.  

Navratri Day 7 - Maa Kaalratri - 24 News Daily

કેવું છે માતા કાલરાત્રિનું સ્વરૂપ?

મા કાલરાત્રિ ગદર્ભ પર બિરાજમાન થઈ ભક્તોના કષ્ટને હરે છે. તેઓ ત્રિનેત્ર ધારી છે. માતાજીની ચાર ભૂજાઓ છે. એક હાથમાં માતાએ ખડગ ધારણ કર્યું છે બીજા હાથમાં લોખંડનું શસ્ત્ર ધારણ કર્યું છે. ત્રીજા હાથમાં તેઓએ અભય મુદ્રા ધારણ કરી છે અને ચોથા હાથથી તેઓ ભક્તોને આશીર્વાદ આપે છે. માતાના કેશ લાંબા અને વિખરાયેલા છે. 

કયા મંત્રથી કરશો માતાની ઉપાસના?

માતા કાલરાત્રિની ઉપાસના આ મંત્રથી કરવાથી માતા જલ્દી પ્રસન્ન થાય છે - 

एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी। वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥

જો કોઈ આ મંત્રનું ઉચ્ચારણ ન કરી શકે તો માતાજીના બીજ મંત્રથી પણ તેમની ઉપાસના કરી શકાય છે. માતાજીનો બીજ મંત્ર - 

ऊं ऐं ह्रीं क्लीं कालरातै नम:

કયો ભોગ માતાજીને કરવો જોઈએ અર્પણ? 

નવરાત્રિના દિવસો દરમિયાન અલગ અલગ ભોગ માતાજીને અર્પણ કરવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે માતાજી સમક્ષ ગોળનો ભોગ અર્પણ કરવો જોઈએ. ગોળ નૈવેદ્ય અર્પણ કરવાથી માતાજી જલ્દી પ્રસન્ન થાય છે.  

  What is Jaggery | Organic Facts




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.