મોરોક્કોમાં ભૂકંપના કારણે મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો, ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી


  • Published By :
  • Published Date : 2023-09-10 17:52:56

આફ્રિકાના દેશ મોરોક્કોમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 2 હજારને વટાવી ગયો છે. મોરોક્કોના ગૃહ મંત્રાલયે દાવો કર્યો છે કે લગભગ 1,500 લોકો ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે, કારણ કે સેંકડો લોકોની હાલત અત્યંત નાજુક છે. ગત શુક્રવારે મોડી રાત્રે એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા 6.8 હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મરાકેશ શહેરથી 70 કિલોમીટર દૂર હતું. અહીં ભયાનક વિનાશ સર્જાયો છે. મારકેશ એટલાસ ટેકરીઓની વચ્ચે આવેલું એક ઐતિહાસિક શહેર છે. દર વર્ષે 20 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. હાલ મારકેશમાં કાટમાળ અને લાચારી જોવા મળી રહી છે. લોકોને ઘરની બહાર રાત વિતાવવી પડી રહી છે.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં આ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે.


ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જારી કરી

 

ભૂકંપ બાદ, રાબાતમાં ભારતીય દૂતાવાસે શનિવારે એક એડવાઈઝરી જારી કરી અને કહ્યું કે તે ભારતીય સમુદાયના સંપર્કમાં છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, "ભૂકંપને કારણે કોઈપણ ભારતીય નાગરિક પ્રભાવિત થયા હોવાની હજુ સુધી કોઈ જાણકારી નથી." તેણે મોરોક્કોમાં હાજર તમામ ભારતીય નાગરિકોને ધીરજ રાખવા અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી સલાહ/ ગાઈડલાઈન્સનું પાલન કરવા વિનંતી કરી છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય નાગરિકો દુતાવાસના હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે જે કોઈપણ મદદ માટે ચોવીસ કલાક ઉપલબ્ધ છે.


PM મોદીએ સંવેદના વ્યક્ત કરી


PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મોરોક્કોમાં આવેલા ભયાનક ભૂકંપના કારણે થયેલા જાનમાલના નુકસાનથી હું અત્યંત દુ:ખી થયો છું. આ દુ:ખની ઘડીમાં મારી સંવેદનાઓ તે  લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો જલદી સાજા થાય. ભારત આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે