અયોધ્યામાં દર વર્ષે 5 કરોડથી પણ વધુ પર્યટકો પહોંચશે, ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝનો રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:51:08

અયોધ્યામાં યોજાઈ રહેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ રામમય બની ગયો છે. આજે સોમવારે 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં એક ભવ્ય ધાર્મિક આયોજન થઈ રહ્યું છે. જેમાં દેશ અને વિદેશના લાખો શ્રધ્ધાળુંઓ પહોંચી રહ્યા છે. આ દરમિયાન ખ્યાતનામ બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)એ એક રિપોર્ટમાં કહ્યું છે કે અયોધ્યાના સ્વરૂપમાં ભારતને એક નવું પર્યટન સ્થળ મળ્યું છે. આ સ્થળને યોગ્ય રીતે વિકસાવવામાં આવશે તો તે દર વર્ષે પાંચ કરોડથી પણ વધુ પર્યટકોને આકર્ષિત કરી શકે છે.  


અયોધ્યામાં અબજો ડોલરનું રોકાણ


ઐતિહાસિક શહેર અયોધ્યામાં આ સમયે લગભગ 10 અબજ ડોલરના રોકાણથી મેકઓવર ચાલી રહ્યું છે. તેમાં એક એરપોર્ટ, વિશાળ રેલવે સ્ટેશન, ન્યૂ ટાઉનશિપ, સુંદર રોડ કનેક્ટિવિટી વગેરેનો સમાવેશ થાય છે.હવે શહેરમાં ભવ્ય હોટેલો પણ ખુલી રહી છે, તેની સાથે જ ત્યાં મોલ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કરાશે. આ કારણે ત્યાંના અર્થતંત્ર પર મલ્ટીપ્લાયર ઈફેક્ટ થશે અને અન્ય આર્થિક પ્રવૃતિઓને પણ વેગ મળશે.    


ટૂરિસ્ટ હોટસ્પોટ બનવા માટે તૈયાર


બ્રોકરેજ ફર્મ જેફરીઝ (Jefferies)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ભારતના પર્યટનને વેગ આપવા માટે એક ટેમ્પલેટ છે. ત્યાં 10 અબજ ડોલરના ખર્ચે થઈ રહેલા મેકઓવરના કારણે જુના અયોધ્યા એક વૈશ્વિક ધાર્મિક અને આધ્યાત્મિક પર્યટન હોટસ્પોટમાં બદલાઈ જશે. શહેરમાં લગભગ 22.5 કરોડના ડોલરના રોકાણથી નવું રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે, તેના કારણે અયોધ્યામાં આર્થિક અને ધાર્મિક પ્રવાસન વધવાનું અનુમાન છે. અયોધ્યામાં હોટેલ, હોસ્પિટાલિટી, FMCGની સાથે-સાથે અનેક ઈન્ડસ્ટ્રીઝને પણ લાભ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.