સતત બીજા દિવસે ચીનમાં નોંધાયા 30 હજારથી વધુ કોરોનાના નવા કેસ


  • Published By :
  • Published Date : 2022-11-25 12:26:01

સમગ્ર વિશ્વ કોરોના કહેરમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે. કોરોના સંક્રમણ ધીરે ધીરે નિયંત્રણમાં આવતું હોય તેવી લાગી રહ્યું હતું ત્યારે ચીનથી મળતા સમાચારે ચિંતામાં વધારો કર્યો છે. ચીનમાં ફરી એક વખત કોરોના કેસે માથું ઉચક્યું છે. હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે ગઈ કાલે પણ 30 હજાર કોરોના કેસ નોંધાયા હતા જ્યારે આજે પણ ફરી એક વખત કોરોના સંક્રમિતોનો આંકડો 30 હજારને પાર પહોંચ્યો છે.

China recovery set back by record covid outbreak as lockdowns spread | Mint

China Reports 20,000 Daily Covid Cases, Highest Since Start Of Pandemic

કોરોના સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો 

ચીનમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના સંક્રમણ અચાનક વધતા સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. અનેક શહેરોમાં લોકડાઉન જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 32943 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગઈ કાલે પણ આ આંકડો 30 હજારને પાર પહોંચ્યો હતો. કોરોના કેસ વધતા ચીન સરકારે કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કર્યો છે. બહારથી આવતા લોકો માટે પણ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે.

અનેક લોકો ઘરમાં કેદ

શિયાળો આવતા ચીનમાં જે પ્રમાણે કેસ વધી રહ્યા છે તેને કારણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો થયો છે. ચીન સરકારે અનેક પ્રતિબંધો લાદી દીધા છે. કોરોના કેસ વધતા અંદાજીત 35 લાખ લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.       




આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.