અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના 20 પૂજારીની જગ્યા માટે આવી 3 હજારથી વધુ અરજીઓ


  • Published By :
  • Published Date : 2023-11-21 15:41:52

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થાય તેને લઈ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કૃત સંકલ્પ છે.  જો કે મંદિર ટ્રસ્ટ ભગવાન રામની પૂજા-આરતી માટે પૂજારીઓની ભરતી પણ શરૂ કરી છે. ટ્રસ્ટે તે માટે એક જાહેરાત પણ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે માત્ર 200 જેટલા પૂજારીઓ માટે ત્રણ હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી.


200 ઉમેદવારો થયા શોર્ટ લિસ્ટ


રામ મંદિર ટ્રસ્ટને મળેલી ત્રણ હજાર અરજીઓ પૈકીની માત્ર 200 અરજીઓને ટ્રસ્ટે શોર્ટ લિસ્ટ કરી છે. તે માટે ઈન્ટર્વ્યું રાખવામાં આવ્યું હતું, કારસેવકપુરમમાં આયોજીત આ ઈન્ટર્વ્યુ માટેની પેનલમાં વૃદાવનના પૂજારી અને અયોધ્યાના બે મહંતનો સમાવેશ થતો હતો. આ ઉમેદવારોને પૂજાની પધ્ધતીઓ, સંધ્યા વંદના, મંત્રોના અર્થ, પ્રભાવ અને ભગવાન રામની પૂજા સંબંધિત સવાલો કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને કર્મકાંડ અંગેના સવાલો પણ પૂછવામા આવ્યા હતા. 


20 ઉમેદવારોની થશે પસંદગી


મંદિર ટ્રસ્ટ 20 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરશે. આ પસંદ થયેલા ઉમેદવારોમાંથી કેટલાકની પૂજારી તરીકે તો અન્યની રામ મંદિર સંકુલમાં વિવિધ પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવશે. આ માટે તેમને સંકુલમાં જ તાલીમ પણ આપવામાં આવશે. તેમને નિશુલ્ક ભોજન, રહેઠાણ અને બે હજારનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.



સાવરકુંડલા તાલુકામાં વરસાદને કારણે પાકને નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા નુકસાનીનો જલ્દી સર્વે કરવામાં આવે અને સહાય ચૂકવવામાં આવે તેવી માગ કરી છે...

બાળપણ... જીવનનો એક એવો phase જે આપણને યાદ રહી જાય છે.. બાળપણનું નામ સાંભળતા જ આપણા ચહેરા પર એક અલગ સ્માઈલ આવી જાય.. જૂની યાદો તાજા થઈ જાય.. બાળપણ આખું યાદ આવી જાય.

ગુજરાતમાં ફરી એકવાર ચૂંટણીનો માહોલ છવાઈ રહ્યો છે.... ત્રણેય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે... ત્રણ એટલા માટે કે આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવાર ઉતારશે એવી ચર્ચા છે... એટલે આપ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટશે એવુ કહી શકાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિટ ઈન્ડિયા, ફિટ મીડિયા કેમ્પેઈનનો શુભારંભ કરાવ્યો હતો.. રેડ ક્રોસ ભવનની બાજુમાં આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનના પરિસરમાં કરવામાં આવ્યો હતો..