અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરના 20 પૂજારીની જગ્યા માટે આવી 3 હજારથી વધુ અરજીઓ


  • Published By :
  • Published Date : 2023-11-21 15:41:52

અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરમાં ભગવાન રામ બિરાજમાન થાય તેને લઈ લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ મંદિર નિર્માણનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે કૃત સંકલ્પ છે.  જો કે મંદિર ટ્રસ્ટ ભગવાન રામની પૂજા-આરતી માટે પૂજારીઓની ભરતી પણ શરૂ કરી છે. ટ્રસ્ટે તે માટે એક જાહેરાત પણ આપી હતી. રસપ્રદ બાબત એ છે કે માત્ર 200 જેટલા પૂજારીઓ માટે ત્રણ હજાર જેટલા ઉમેદવારોએ અરજી કરી હતી.


200 ઉમેદવારો થયા શોર્ટ લિસ્ટ


રામ મંદિર ટ્રસ્ટને મળેલી ત્રણ હજાર અરજીઓ પૈકીની માત્ર 200 અરજીઓને ટ્રસ્ટે શોર્ટ લિસ્ટ કરી છે. તે માટે ઈન્ટર્વ્યું રાખવામાં આવ્યું હતું, કારસેવકપુરમમાં આયોજીત આ ઈન્ટર્વ્યુ માટેની પેનલમાં વૃદાવનના પૂજારી અને અયોધ્યાના બે મહંતનો સમાવેશ થતો હતો. આ ઉમેદવારોને પૂજાની પધ્ધતીઓ, સંધ્યા વંદના, મંત્રોના અર્થ, પ્રભાવ અને ભગવાન રામની પૂજા સંબંધિત સવાલો કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત તેમને કર્મકાંડ અંગેના સવાલો પણ પૂછવામા આવ્યા હતા. 


20 ઉમેદવારોની થશે પસંદગી


મંદિર ટ્રસ્ટ 20 ઉમેદવારોની નોકરી માટે પસંદગી કરશે. આ પસંદ થયેલા ઉમેદવારોમાંથી કેટલાકની પૂજારી તરીકે તો અન્યની રામ મંદિર સંકુલમાં વિવિધ પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવશે. આ માટે તેમને સંકુલમાં જ તાલીમ પણ આપવામાં આવશે. તેમને નિશુલ્ક ભોજન, રહેઠાણ અને બે હજારનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે.



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.