એક તરફ AAP અને Congress વચ્ચે થતી ગઠબંધનની વાતો, તો બીજી તરફ આપમાં ભંગાણ, આ નેતાઓનું કરાયું કોંગ્રેસમાં સ્વાગત


  • Published By :
  • Published Date : 2023-08-19 18:06:00

એક તરફ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનની વાતો ચાલી રહી છે, લોકસભાની ચૂંટણી ભેગા થઈ લડશે તેવી વાતો પણ ચાલી રહી હતી. કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થશે તેવી જાહેરાત ઈસુદાન ગઢવીએ કરી દીધી હતી. પરંતુ તે બાદ કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા સામે આવી જેમાં કહેવામાં આવ્યું છે ગઠબંધન અંગેનો નિર્ણય રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. આ ચર્ચાઓ ચાલી રહી હતી તે બધા વચ્ચે આપના અનેક નેતાઓ, જિલ્લા પ્રમુખોએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો હોય તેવું લાગી રહ્યું છે. 20થી વધુ આપના નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ આપનો સાથ છોડી દીધો છે અને કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે.    

આપને અલવિદા કહી 20 જેટલા નેતાઓ કોંગ્રેસમાં જોડાયા! 

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે. સાંસદ શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલના આવ્યા બાદ સંગઠનને વધુ મજબૂત કરવા માટે મહેનત કરવામાં આવી રહી છે. કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થઈ ગયો હોય તેવું લાગે છે. એક તરફ ગઠબંધનની વાતો ચાલી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. 20 જેટલા નેતાઓ તેમજ સામાજિક અગ્રણીઓએ કોંગ્રેસનો હાથ થામી લીધો છે. આપને અલવિદા કહી દીધું છે. આપને મોટો ઝટકો લાગ્યો છે. જિલ્લા પ્રમુખથી લઈને સંગઠનના આપના નેતા કોંગ્રેસમાં જોડાયા છે.  



આ નેતાનું શક્તિસિંહ ગોહિલે પાર્ટીમાં કર્યું સ્વાગત 

આમ આદમી પાર્ટીને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાયેલા નેતાઓની વાત કરીએ તો જયેશ ઠાકોર, ખેડા જિલ્લા પ્રમુખ નલિન બારોટ, સમીર વોરા, ખેડા શહેર પ્રમુખ, ખેડા આપ જનરલ સેક્રેટરી દિનેશ પરમાર, જેતપુર શહેર સંગઠન મંત્રી પ્રમોદ ત્રાડા સહિત અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.