દેશમાં ફરી એક વખત નોંધાયા 1000થી વધુ કોરોના કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા લોકો થયા કોરોના સંક્રમિત


  • Published By :
  • Published Date : 2023-03-27 12:42:21

કોરોના સંક્રમણ દેશમાં ફરી એક વખત વધી રહ્યું હોય તેવી રીતે કોરોના કેસોના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના આંકડાની વાત કરીએ તો નવા 1805 કેસ સામે આવ્યા છે. જ્યારે 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. છેલ્લા અનેક દિવસોથી કોરોના સંક્રમિતોનો આંકડા 1000ને પાર પહોંચી રહ્યો છે. વધતા કોરોના સંક્રમણને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય એક્ટિવ મોડમાં આવી ગઈ છે. 


24 કલાકમાં 1805 લોકો થયા કોરોના સંક્રમિત 

થોડા વર્ષો પહેલા આવેલી કોરોના મહામારીએ લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કોરોનાથી અનેક લોકો સંક્રમિત થયા હતા જ્યારે અનેક લોકોના મોત થયા હતા. કોરોનાની દરેક વેવ લોકો માટે ઘાતક સાબિત થઈ હતી. ત્યારે ફરી એક વખત દૈનિક કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1805 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જ્યારે 6 જેટલા લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ચંડીગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે કેરળમાં 2 લોકોના મોત થયા છે. કોરોના સંક્રમિતોના આંકડો સતત વધી રહ્યો છે. દેશમાં એક્ટિવ કેસની વાત કરીએ તો આ આંકડો 10 હજારને પાર પહોંચી ગયો છે.  


સમગ્ર દેશમાં આ તારીખે યોજાશે મોક ડ્રિલ 

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય વધતા કોરોના કેસને લઈ સતર્ક થયો છે. કોવિડને લઈ આજે સમિક્ષા બેઠક બોલોવામાં આવી છે જેમાં રાજ્યોના આરોગ્ય સચિવો તેમજ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં મોક ડ્રિલની પણ જાણકારી આપવામાં આવશે. 10 તેમજ 11મી એપ્રિલના રોજ સમગ્ર દેશમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી આવતા 1000થી વધારે કેસોને લઈ ચિંતા વધી છે. ડેલી પોઝિટિવિટી રેટમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.