દેશમાં 24 કલાકમાં નોંધાયા કોરોનાના 10 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસની સંખ્યા પહોંચી 44 હજારને પાર


  • Published By :
  • Published Date : 2023-04-13 10:03:05

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સતત વધી રહેલા કોરોના કેસને કારણે ચિંતામાં વધારો થયો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો જ્યારે આજે તો કોરોના સંક્રમિતોનો આંકડો 10 હજારને પાર નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમિતોની વાત કરીએ તો 10158 નવા કેસ સામે આવ્યા છે. આ પહેલા ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસ 10 હજારને પાર નોંધાયા હતા. એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસનો આંકડો 44988 પર પહોંચી ગયો છે.

  


એક દિવસમાં નોંધાયા 10 હજારથી વધુ કોરોના કેસ  

પ્રતિદિન કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલા આ આંકડો પાંચ હજારની આસપાસ નોંધાતો હતો. જે બાદ 6 હજારને પાર કોરોના કેસનો આંકડો નોંધાયો હતો. પરંતુ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે કોરોના સંક્રમિતોનો આંકડો 7 હજારને પાર નોંધાયો હતો. પરંતુ આજે જે સંક્રમિતોનો આંકડો સામે આવ્યો છે તે ડરાવી દે તેવો છે. છેલ્લા 24 કલાકમાં 10158 કોરોનાના નવા કેસ નોંધાયા છે. એક દિવસમાં આટલા બધા કેસ ઘણાં મહિનાઓ પછી નોંધાયા છે. કોરોના કેસ વધતા કેન્દ્ર સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે. અનેક રાજ્યો માટે માસ્ક ફરજિયાત કરવામાં આવ્યો છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.