ડમીકાંડમાં વધુ આરોપીની કરાઈ ધરપકડ! તોડકાંડની તપાસ કરતા PI વિરૂદ્ધ ફરિયાદ કરાઈ દાખલ! જાણો શું છે કેસનું બનાસકાંઠા સાથેનું કનેક્શન


  • Published By :
  • Published Date : 2023-05-11 17:21:56

ડમીકાંડ મામલે રોજને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ભાવનગર એસઓજી દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારં આ મામલે વધુ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક બાદ એક આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. આ મામલાનું કનેક્શન હવે અમરેલી સાથેનું કનેક્શન સામે આવ્યું છે. ડમી કાંડમાં તોડકાંડનો મામલો સામે આવ્યો હતો. 


આ આરોપીએ પરીક્ષામાં બેસાડ્યો ડમી ઉમેદવાર!

પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસતા હોવાની વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. જે બાદ જે ઘટનાક્રમ હતો તે અંગેની જાણ બધાને છે. ડમીકાંડમાં તોડકાંડનો એન્ગલ આવ્યો. ડમીકાંડમાં પણ તોડકાંડ જેવી ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી રાહ લોકો જોઈ રહ્યા હતા. ત્યારે ડમીકાંડમાં જોડાયેલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ડમી કાંડમાં  ભાવનગર એસ.ઓ.જીએ વધુ એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ આરોપીએ જુનીયર ક્લાર્કની પરીક્ષામાં પોતાની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડ્યો હતો.  તા.૨૦/૩/૨૦૨૨ના રોજ લેવાયેલી પરીક્ષામાં તેની બદલીમાં ડમી ઉમેદવાર બેઠો હતો. આરોપી છે મલ્હારભાઇ તુષારભાઇ ભટ્ટ જે ભાવનગરનો જ રહેવાસી છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે હવે આગળ પોલીસ કેટલા આરોપીને પકડે છે તે જોવાનું રહ્યું. 


આ કેસના તાર બનાસકાંઠા સુધી પહોંચ્યા!

આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે આ ડમીકાંડના તાર બનાસકાંઠા અને અમરેલી સુધી પહોંચી ગયા છે. મળતી માહિતી અનુસાર SITની ટીમ બનાસકાંઠા પહોંચી છે. અમરેલી ખાતે પણ SITની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ મામલે કયા આરોપીની ધરપકડ થાય છે અને બનાસકાંઠાથી શું કનેક્શન છે તે આગામી દિવસોમાં ખબર પડશે. અમારી પાસે જે જાણકારી આવી છે તે મુજબ PKના તાર બનાસકાંઠા સુધી જોડાયેલ છે ત્યાં પણ અનેક વિદ્યાર્થીઓ છે જે ડમી કાંડમાં સંડોવાયેલા છે. અમરેલીના કનેક્શનની વાત કરીએ તો અમરેલીથી જે ચિનગારી લાગી હતી તેની જ આગ ભાવનગર સુધી પહોંચી અને ડમી કાંડના કોભાંડ સુધી પહોંચી હતી   


અમરેલીમાં બનેલી એક ઘટનાનું ભાવનગર કનેક્શન શું છે? 


5 એપ્રિલ 2023એ જ્યારે યુવરાજસિંહએ પહેલી પ્રેસ કોન્ફરએન્સ કરી ડમી કાંડને લઈને ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ડમીકાંડનો ચોંકાવનારો ધડાકો કર્યો. પરંતુ આ દાવા પાછળની અસલી કહાની શું છે? છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતભરના લોકોના મનમાં આ સવાલ ઉઠી રહ્યો હશે. કારણકે પ્રેસ કોન્ફરન્સ કર્યાના ત્રણ અઠવાડિયામાં ડમીકાંડનું આખુ ચિત્ર જ બદલાઈ ગયું. કથિત રીતે ગુજરાતના સૌથી મોટા પરીક્ષા કૌભાંડને ખુલ્લો પાડીને જે યુવરાજસિંહ હિરો બન્યા હતા, એ હવે ભાવનગરની જેલમાં કેદ છે. તેમના પર ખંડણીના ગંભીર આરોપ છે. 


અમરેલીથી આ સમગ્ર મામલો સામે આવ્યો હતો!

યુવરાજસિંહને માર્ચ મહિનાના અંતમાં જાણકારી મળી ચુકી હતી કે તળાજા તાલુકાના પીપરલા ગામમાં રહેતાં 17 વર્ષીય તરુણે ધોરણ 12ની ડમી તરીકે અમરેલીમાં જઈને પરીક્ષા આપી છે. આ માહિતીના પગલે યુવરાજસિંહ તેમની નજીકના કેટલાક લોકો સાથે પીપરલા ગામ પહોંચ્યા હતા. ત્યારે ડમી તરીકે પરીક્ષામાં બેસેલો તરુણ ન્હાતો હતો. ત્યાંથી યુવરાજસિંહ અને તેના સાથીદારો તેને લઇને જાય છે. આ ઘટનાની પોલીસને જાણ કર્યા વગર જ યુવરાજસિંહે ખાનગી રીતે યુવકની પૂછપરછ કરી હતી. જેમાં એ તેણે કબૂલાત કરી કે, તેણે ડમી તરીકે ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને પછી આ સમગ્ર કૌભાંડનો ખેલ શરૂ થયો 


તોડકાંડની તપાસ કરી રહેલા પીઆઈ વિરૂદ્ધ કરાઈ ફરિયાદ!

દિવસે અને દિવસે આ બંને કાંડના કેસ ગુંચવાતા જાય છે રોજ એક નવી અપડેટ આવે છે રોહ નવા ખુલાસા થાય છે હમણાં એક ખબર આવી કે  તોડકાંડ પ્રકરણની તપાસ કરી રહેલા PI એ.ડી.ખાંટ સહિત છ લોકો સામે તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને રાજ્ય સેવક દ્વારા વિશ્વાસઘાત સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુન્હો દાખલ થતાં આજે સવારથી જ PIખાંટ રજા પર ઉતરી ગયા હતા. હાલ તે ફરાર છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ મામલે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે?  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!