મોરબી દુર્ઘટના: હાઈકોર્ટમાં સુઓમોટો દાખલ,સરકારને નોટિસ


  • Published By :
  • Published Date : 2022-11-07 13:10:26

મોરબીની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. બેદરકારીના કારણે કેટલાય માસૂમોનાં મોત થયા હતા જોકે આ બાબતે હવે હાઇકોર્ટ ઉગ્ર થઇ છે અને ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી છે અને ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. આ મામલે હવે 14 નવેમ્બરે આગામી સુનાવણી થશે.

ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરવાની સાથે રાજ્ય સરકાર ઉપરાંત મોરબી નગરપાલિકા, શહેરી વિકાસ વિભાગ, રાજ્યના ચીફ સેક્રેટરી, રાજ્ય માનવાધિકાર પંચને એક પક્ષે પક્ષકાર બનાવવાના પણ આદેશ જાહેર કર્યા છે. મહત્વપૂર્ણ છે કે મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટના મામલે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હાઇકોર્ટને પત્ર લખીને સુઓમોટો દાખલ કરવાની માંગ કરી હતી.


ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

મોરબીના ચીફ ઓફિસરને મોરબી બ્રિજ દૂર્ઘટના પછી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ચીફ ઓફિસર સંદીપ સિંહ ઝાલાએ ઓરેવા કંપની પર ગંભીર આક્ષેપ લગાવ્યા હતા અને ઝૂલતો પુલ જર્જરીત હાલતમાં હતો જેને કારણે ચીફ ઓફિસરની બેદરકારી સામે આવી હતી.જેથી સંદીપ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા 


ઓરેવા કંપનીના મલિક જયસુખ પર કોનો હાથ ?

મોરબીના ઝૂલતા પુલની જવાબદારી અને સંચાલનનું કામ જે કંપનીનું હતું એ કંપનીના માલિકનું નામ ફરિયાદમાં ક્યાંય પણ નથી, ઓરેવા કંપનીના મલિક જયસુખ દુર્ઘટના બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે સરકારે આ કેસમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ મૂક્યું જ નથી તે આષ્ચર્યજનક છે લોક મુખે એવી ચર્ચા ચાલી રહી છે કે મૂળમાં આની પાછળનું કારણ રાજકીય અને સામાજિક છે, કારણ કે જયસુખ પટેલ કડવા પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થા અને જ્ઞાતિના મંડળોમાં ખૂબ સક્રિય છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.