મોરબી દુર્ઘટનાઃ પોલીસે 9 લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 18:53:40

પોલીસે નાના લોકોને પકડી લીધા, મોટા માથા કે કંપની માલિક વિશે બોલવાનું જ ટાળ્યું, પત્રકાર પરિષદમાં પત્રકારોએ સવાલોનો મારો કર્યો પરંતુ મોરબી રેન્જ IGએ કંપની વિશે કે કંપનીના માલિક વિશે બોલવાનું ટાળ્યું, શું 130થી વધુ લોકોના મોત નાની ઘટના છે? વિદેશ સુધી આ દુર્ઘટનાની નોંધ લેવાની આવી છે. અનેક દેશના લોકો ભારતને સંવેદના પાઠવી રહ્યું છે અને બીજી બાજુ પોલીસ નાના લોકોને પકડીને ખુશી મેળવી હતી. 


મોરબી પોલીસે દુર્ઘટનાના 9 આરોપીની ધરપકડ કરી 

ગુજરાતની મોરબી પોલીસે દુર્ઘટના મામલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કાર્યવાહી મામલે અપડેટ આપ્યું હતું. મોરબી રેન્જ આઈજી અશોક યાદવે પોલીસની કામગીરી, સારવારની કામગીરી સહિતની તમામ માહિતી આપી હતી. મોરબી પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી હતી. કલમ 144, 304 અને 308 અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 9 જેટલા લોકોની પહેલા અટકાયત કરી હતી ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


મોરબી પોલીસે કંપની કે મોટા માથા વિશે બોલવાનું ટાળ્યું

મોરબી પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ કરી છે. ઝુલતા પુલની ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી, મોરબી ઝુલતા પુલના સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને દેવાંગ પરમારની ધરપકડ હતી. મોરબી પોલીસ જ્યારે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે પત્રકારોએ પોલીસને સવાલો કર્યા હતા કે મોટા માથાઓને ક્યારે પકડવામાં આવશે ત્યારે મોરબી પોલીસે ગોળગોળ જવાબ આપીને સવાલો ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે સુધી પત્રકારોના સવાલોના મોરબી પોલીસે જવાબ નહોતો આપ્યો.


જેમ કે ગઈકાલથી જ ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે મોટા માથાઓ સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે. કંપનીના માલિકો સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને એમ જ થયું. નાના લોકોને પોલીસે પકડી લીધા અને મોટા લોકો રહી ગયા. અગાઉ પણ આવી જ ઘટનાઓ જોવા મળી છે, મોટી દુર્ઘટના સર્જાય જેમાં મોટા માથાઓ હોય છે તેમાં મોટા માથાઓ સુધી પોલીસ પહોંચી જ નથી શકતી. નાના લોકોને પકડીને પોલીસ ખુશ થઈ જાય છે. હાલ પોલીસે એવું નિવેદન આપીને સવાલો ટાળ્યા છે કે તપાસની એક રીત હોય છે. જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવે છે. હાલ પોલીસની તપાસ ચાલી રહી છે જેમ તપાસ વધશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. જે ગુજરાતના પત્રકારો કે ગુજરાતની જનતા માટે નવું નહોતું. કારણ કે હર મોટી ઘટનામાં આવા જ નિવેદનો આપવામાં આવે છે અને મોટા લોકો બચી જાય છે. 






અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!

આપણો પાડોશી દેશ ચાઈના , અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ટેરિફ મુદ્દે બિલકુલ નમતું જોખવા તૈયાર નથી . હવે ચાઈનાએ નિર્ણય લીધો છે કે , તે અમેરિકાને જે ક્રિટિકલ મિનરલ્સની નિકાસ કરે છે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આજે આપણે જાણીશું કે કેમ આ ૨૧મી સદીમાં આ ક્રિટિકલ મિનરલ્સ કોઈ પણ મહાસત્તા માટે બઉજ મહત્વના છે. વાત કરીએ ઇટાલીની તો ઈરાન અને અમેરિકા વચ્ચે બીજા રાઉન્ડની વાર્તલાપ કરવા માટે તે મધ્યસ્થા કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરીફના આકરા વલણને લઇને યુરોપ હવે રશિયાનું ગેસ ખરીદવા તૈયાર થયું છે. વૈશ્વિક અર્થતંત્રમાં આટલીબધી ઉથલપાથલ થવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેમના ટેરીફના વલણને લઇને ટસ થી મસ થવા તૈયાર નથી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયા અને યુક્રેન વચ્ચે કાયમી શાંતિ કરાવવા માંગે છે . તે માટે ટ્રમ્પનું પ્રતિનિધિ મંડળ થોડાક સમય પેહલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યું હતું . પરંતુ હવે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી આ શાંતિવાર્તામાં ખુબ મોટો ભંગ પડી શકે છે. થયું એવું કે , યુક્રેનના સુમી શહેરમાં રશિયાનો મિસાઈલ હુમલો થતા ૩૪ લોકો માર્યા ગયા છે. આ પછી યુક્રેનના કિવ શહેરમાં રશિયાના હુમલામાં એક ભારતીય કંપનીનું વેરહાઉસ બરબાદ થઈ ગયું છે. વાત કરીએ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં આવનારા ૯૦ દિવસમાં વ્યાપારી કરારોને લઇને મોટા સમાચાર સામે આવી શકે છે. હવે અમેરિકામાં એક નવો નિયમ આવ્યો છે કે , ૨૪ કલાક તમામ પ્રવાસીઓએ પોતાના દસ્તાવેજ પોતાની પાસે રાખવા પડશે. અંતમાં વાત કરીશું કે પાકિસ્તાન કઈ રીતે અમેરિકા તરફ સરકી રહ્યું છે. આ માટે તેણે પોતાના પ્રાંત બલુચિસ્તાનમાં અમેરિકાને માઇનિંગ લીઝ પર આપવાનું આયોજન કર્યું છે.