મોરબી દુર્ઘટનાઃ પોલીસે 9 લોકોની ધરપકડ કરી


  • Published By :
  • Published Date : 2022-10-31 18:53:40

પોલીસે નાના લોકોને પકડી લીધા, મોટા માથા કે કંપની માલિક વિશે બોલવાનું જ ટાળ્યું, પત્રકાર પરિષદમાં પત્રકારોએ સવાલોનો મારો કર્યો પરંતુ મોરબી રેન્જ IGએ કંપની વિશે કે કંપનીના માલિક વિશે બોલવાનું ટાળ્યું, શું 130થી વધુ લોકોના મોત નાની ઘટના છે? વિદેશ સુધી આ દુર્ઘટનાની નોંધ લેવાની આવી છે. અનેક દેશના લોકો ભારતને સંવેદના પાઠવી રહ્યું છે અને બીજી બાજુ પોલીસ નાના લોકોને પકડીને ખુશી મેળવી હતી. 


મોરબી પોલીસે દુર્ઘટનાના 9 આરોપીની ધરપકડ કરી 

ગુજરાતની મોરબી પોલીસે દુર્ઘટના મામલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કાર્યવાહી મામલે અપડેટ આપ્યું હતું. મોરબી રેન્જ આઈજી અશોક યાદવે પોલીસની કામગીરી, સારવારની કામગીરી સહિતની તમામ માહિતી આપી હતી. મોરબી પોલીસના જણાવ્યા મુજબ ગઈકાલે 30 ઓક્ટોબરના રોજ પોલીસ ફરિયાદ કરી દેવામાં આવી હતી. કલમ 144, 304 અને 308 અંતર્ગત પોલીસે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 9 જેટલા લોકોની પહેલા અટકાયત કરી હતી ત્યાર બાદ તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. 


મોરબી પોલીસે કંપની કે મોટા માથા વિશે બોલવાનું ટાળ્યું

મોરબી પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવે અને દિપક પારેખની ધરપકડ કરી છે. ઝુલતા પુલની ટિકિટ બારીના ક્લાર્ક મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી, મોરબી ઝુલતા પુલના સિક્યોરિટી ગાર્ડ અલ્પેશ ગોહિલ, પ્રકાશ પરમાર, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહાણ અને દેવાંગ પરમારની ધરપકડ હતી. મોરબી પોલીસ જ્યારે પત્રકારોને માહિતી આપી રહ્યા હતા ત્યારે પત્રકારોએ પોલીસને સવાલો કર્યા હતા કે મોટા માથાઓને ક્યારે પકડવામાં આવશે ત્યારે મોરબી પોલીસે ગોળગોળ જવાબ આપીને સવાલો ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. છેલ્લે સુધી પત્રકારોના સવાલોના મોરબી પોલીસે જવાબ નહોતો આપ્યો.


જેમ કે ગઈકાલથી જ ગુજરાતમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે મોટા માથાઓ સામે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે. કંપનીના માલિકો સામે પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે અને એમ જ થયું. નાના લોકોને પોલીસે પકડી લીધા અને મોટા લોકો રહી ગયા. અગાઉ પણ આવી જ ઘટનાઓ જોવા મળી છે, મોટી દુર્ઘટના સર્જાય જેમાં મોટા માથાઓ હોય છે તેમાં મોટા માથાઓ સુધી પોલીસ પહોંચી જ નથી શકતી. નાના લોકોને પકડીને પોલીસ ખુશ થઈ જાય છે. હાલ પોલીસે એવું નિવેદન આપીને સવાલો ટાળ્યા છે કે તપાસની એક રીત હોય છે. જેમ જેમ તપાસ થાય છે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવે છે. હાલ પોલીસની તપાસ ચાલી રહી છે જેમ તપાસ વધશે તેમ કાર્યવાહી કરવામાં આવશે. જે ગુજરાતના પત્રકારો કે ગુજરાતની જનતા માટે નવું નહોતું. કારણ કે હર મોટી ઘટનામાં આવા જ નિવેદનો આપવામાં આવે છે અને મોટા લોકો બચી જાય છે. 






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.