મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપ ઝાલાને સસ્પેન્ડ કરાયા


  • Published By :
  • Published Date : 2022-11-04 11:32:24

મોરબીમાં બનેલી હોનારતને લઈ સમગ્ર ગુજરાત શોકમાં ડૂબી ગયું હતું, રવિવારે બનેલી દુર્ઘટના બાદ તપાસ કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને પગલે મોટી કાર્યવાહી કરાતા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.


મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરાયા 

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં અનેક લોકો મોતને ભેટ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. કાર્યવાહીના નામે નાના-નાના કર્મચારીઓની ધરપકડ કરી દેવામાં આવી હતી. લોકોનું માનવું હતું કે મોટા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. પરંતુ તંત્રએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસે ચીફ ઓફિસરને 2 નવેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોલીસે સંદિપ ઝાલાની ચાર કલાક પૂછપરછ કરી હતી. શહેરી વિકાસ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. 


તંત્રની મંજૂરી વગર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકાયો - સંદીપ ઝાલા

બ્રિજ તૂટવાની ઘટના બનતા જ્યારે ચીફ ઓફિસરને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે હાથ ઉપર કરતા જણાવ્યું કે ઓરેવા કંપનીએ તંત્રને જાણ કર્યા વગર જ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકી દીધો હતો. મંજૂરી વગર લોકોને બ્રિજ પર જવાની મંજૂરી તો આપી પરંતુ કેપેસિટી કરતા વધારે લોકોને બ્રિજ પર મોકલાતા આ દુર્ઘટના સર્જાઈ છે.    

કારકિર્દીનો સમય એક જ જિલ્લામાં વ્યતીત કર્યો 

ચીફ ઓફિસરના ભૂતકાળની જો વાત કરીએ તો આ એવા અધિકારી છે જેમણે પોતાની કારકિર્દી એક જ જિલ્લામાં કરી હોય. કચ્છ જિલ્લાની કોઈ પણ નગરપાલિકા બાકી નથી જ્યાં તેમની પોસ્ટિગ નથી થઈ. કારણ કે તેમને વિરેન્દ્રસિંહ જાડેજાના ખાસ માનવામાં આવે છે. લોકો તેમને એકદમ ભ્રષ્ટ નેતા માને છે. મોરબી દુર્ઘટના બાદ તેમણે આપેલા નિવેદનને લઈ દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા છે. 
Morbi Bridge Collapse: Photo Of Guj Minister Viral As Oreva Group Owner |  BOOM


ઓરેવા કંપનીના માલિક વિરૂદ્ધ કાર્યવાહી ક્યારે થશે?

મોરબીમાં બનેલી દુર્ઘટનાને પગલે ચીફ ઓફિસર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે સવાલ લોકો પૂછી રહ્યા છે. કારણે કંપનીએ બ્રિજના સમારકામ દરમિયાન ઓરેવા કંપનીએ કોઈ પણ એન્જિનિયરની સલાહ નથી લીધી. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ઓરેવાના માલિકને રાજનેતાઓ સાથે સારા સંબંધ હોવાને કારણે તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે. સૂત્રોની માહિતી પ્રમાણે ચીફ ઓફિસરની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. 



સુરેન્દ્રનગરમાં આજે આંબેડકર ચોકથી કલેકટર કચેરી સુધી ખેડૂતોના પ્રશ્નોને લઇને "ચાલો ખેડૂત મહા રેલી" યોજાઈ હતી. આ મહારેલીનું આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કલેકટરશ્રીને આ પછી આવેદન પત્ર આપવાનું આયોજન પણ હતું જેવી જ મહારેલી કલેકટર કચેરીએ પહોંચી કે તરત જ કલેકટર કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા . જોકે આ પછી કોંગ્રેસના ખેડૂત નેતાઓએ સુરેન્દ્રનગરના કલેક્ટરને આવેદન આપ્યું છે .

ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વ્હાઇટહાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ આ રેસિપ્રોકલ ટેરિફ પછી યુરોપમાંથી પેહલા વડાપ્રધાન છે જેઓ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા છે. આ મુલાકાતમાં ડોનાલ્ડ ટ્રમ્પએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીની પ્રશંસા કરી છે સાથે જ સામે જ્યોર્જિયા મેલોનીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઇટાલીની રાજધાની રોમમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાત દરમ્યાન બેઉ દેશોના વડાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધન પણ કર્યું હતું જેમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું હતું કે , તમે ક્યારેય યુરોપના લોકોને પેરેસાઇટ કહ્યા છે. જોકે ટ્રમ્પએ વાત નકારી કાઢે છે

થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.