બ્રેકિંગ ન્યૂઝ! મોરબી નગરપાલિકા સુપરસીડ થઈ, એડમિનિસ્ટ્રેટરની કરાઇ નિમણૂક


  • Published By :
  • Published Date : 2023-04-11 20:44:26

આખરે મોરબી નગરપાલિકા સુપરસીડ કરાઇ છે. રાજ્ય સરકારે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દીધી છે. નગરપાલિકાના વહીવટ માટે ખાસ એડમિનિસ્ટ્રેટર તરીકે અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળની નિમણૂક કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે 135 લોકોનો ભોગ લેનાર મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટના બાદથી જ મોરબી નગરપાલિકા પર સુપરસીડની તલવાર લટકતી હતી. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.


મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો


મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા, 30 ઓક્ટોબર 2022ના રોજ ઘટેલી મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ આ સમગ્ર મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે મોરબી પાલિકાને પક્ષકાર તરીકે જોડાવા માટે અગાઉ નોટીસ ફટકારી હતી. હાઈકોર્ટમાં પણ સરકાર પક્ષે નગરપાલિકા સુપરસીડ કરવા અંગે જણાવ્યું હતું. જોકે દુર્ઘટનાને ઘણો સમય વીત્યા બાદ આજે નગરપાલિકા સુપરસીડ કર્યાના સમાચાર આધારભૂત સુત્રો પાસેથી જાણવા મળ્યા છે.


સરકારે માગ્યો હતો જવાબ


મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવાની હિલચાલ અંગે હિલચાલ જોવા મળી રહી છે. જે અંતર્ગત ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાને સુપરસીડ કેમ ના કરવી? તે સંદર્ભની નોટીસ ફટકારી લેખિતમાં જવાબ માંગ્યો હતો. રાજ્ય સરકારે નોટિસનો જવાબ આપવા માટે એક સપ્તાહની મુદત આપી હતી અને જવાબ આપવા જણાવ્યું હતું. તેના જવાબમાં પાલિકા સુપરસીડ ન કરવા વિનંતી કરાઈ હતી. જોકે આ મામલે 25 સભ્યોની મોરબી  નગરપાલિકામાં સંપૂર્ણ બહુમતી ધરાવતા ભાજપના તમામ સભ્યો જવાબ આપવાથી સતત બચતા હતા અને જવાબ ટાળવાના પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!