મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ કોંગ્રેસ માટે કહી આ વાત! ભાજપના નેતા સાથેની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ! સાંભળો


  • Published By :
  • Published Date : 2023-07-13 15:20:18

ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભરતી મેળો થતો હોય છે. કોંગ્રેસમાંથી અનેક નેતાઓ કેસરિયો ધારણ કરી લેતા હોય છે. આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ. રાજકીય નિષ્ણાંતો અનેક વખત એવું કહેતા જોવા મળે છે જે કહેતા હોય છે કે ભાજપ ગંગા જેવું પવિત્ર છે. તેમા ડૂબકી લગાવવાથી નેતાઓને પાપમાંથી મુક્તિ મળે છે. અમુક અંશે વાત પણ સાચી છે, કારણ કે ભાજપમાં જોડાયા બાદ નેતાઓ પર લાગેલા ગુન્હાઓ તેમજ આરોપો રફે-દફે થઈ જતા હોય છે. ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે. જો કે આ ઓડિયો ક્લીપ કાંતિ અમૃતિયાનો છે તે અંગેની પુષ્ટિ જમાવટ નથી કરતું.

  

ચૂંટણી સમયે ભાજપમાં ચાલતો હોય છે ભરતી મેળો 

સોશિયલ મીડિયા પર મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. આ એ જ કાંતિ અમૃતિયા છે જેમણે મોરબી પુલ દુર્ઘટના વખતે પાણીમાં ઉતરી લોકોનો જીવ બચાવ્યો હતો! મોરબીમાં સર્જાયેલી દુર્ઘટના બાદ એવું લાગતું હતુંકે મોરબીમાં ભાજપ માટે જીત હાંસલ કરવી મુશ્કેલ છે. પરંતુ ભાજપે કાંતિ અમૃતિયાને ઉમેદવાર જાહેર કરી જીત મેળવી લીધી હતી. એમ પણ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાઈ જતા હોય છે. કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયેલા નેતાઓને સારી જવાબદારી આપવામાં આવતી હોય છે.

મોરબીના ધારાસભ્યની વાતચીતનો ઓડિયો ક્લીપ વાયરલ!

ભાજપમાં થતા ભરતી મેળાની વાત અહીંયા નથી કરવી. અહીંયા વાત કરવી છે એક ઓડિયો ક્લીપની જે વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા ઓડિયોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓડિયો મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને માળીયા તાલુકાના યુવા ભાજપના ઉપ પ્રમુખ વચ્ચે થતી ટેલિફોનિક વાતચીતનો છે. વાયરલ થઈ રહેલા ઓડિયોમાં શહેરમાં થતાં ફાયરિંગ અંગેની ચર્ચા કરવામાં આવી રહી છે. ઓડિયોમાં એવું કહેવાઈ રહ્યું છે કે, ધારાસભ્ય દ્વારા ફાયરિંગ થયું તો રાજી થયા અને ફાયરિંગ કરનારને પકડાતા નથી. બીજી ગાડી પકડે છે એ તમને ખબર છેને! કોંગ્રેસમાં ગુંડા ક્યાં રહ્યા છે, ગુંડા બધા ભાજપમાં આવી ગયા છે.  જો કે જમાવટ આ વાયરલ થયેલા ઓડિયોની પુષ્ટિ નથી કરતું.   




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.