"मैयत का नाम हाकिम ने जश्न रख दिया, रोती है अब रियाया ताली बजा बजा के"


  • Published By :
  • Published Date : 2022-11-01 14:59:39

જીંદગીઓ બેરંગ હતી, પણ હોસ્પિટલને રંગ ચડાવ્યો
જ્યાં હજુ સુધી લાશો હતી, ત્યાં નવી ચાદરો ચડાવી
પીએમને આવા સમયે પણ ખુશ કરવાની ઈચ્છા કોને થઈ હશે?
શું માણસાઈથી પર હોય છે રાજનીતિ?

એક બાજુ મોરબીની દુર્ઘટના અને પ્રધાનમંત્રી મોદીના ગુજરાતમાં રહીને લોકાર્પણના નામે ચૂંટણીલક્ષી ભાષણો સાંભળીને સભાન ગુજરાતી આશ્ચર્યમાં છે, જેમણે પીએમને પોતાના માન્યા એ સમજી નથી રહ્યા કે માત્ર કર્તવ્યના નામે જો તમારી શૉ મસ્ટ ગો ઓનની જેમ કામ ચાલુ જ રાખવા હતા તો પછી સરદાર સાહેબનું અપમાન કરનાર કૉંગ્રેસને ગુજરાત નહી સાંખે એવા રાજકીય ભાષણોની ક્યાં જરૂર હતી.

ક્યાં જરૂર હતી જર્જર હોસ્પિટલના રંગરોગાનની?
ક્યાં જરૂર હતી સાજ-સજાવટની?
ક્યાં જરૂર હતી આ નાટકોની?

અમે હેરાન છીએ, પરેશાન છીએ, અમારી સમજશક્તિની બહાર છે કે આવા સમયે કેવી રીતે કોઈ આટલું અસંવેદનશીલ બનીને હોસ્પિટલનું રંગરોગાન કરાવી શકે, મોરબી સિવીલ ખસ્તા હાલમાં છે, નગરપાલીકા પાસે સાધનો નથી, બધું જ સાચું પણ પીએમને બતાડવા દેખાડા કરવાના આ આઈડીયા કોણ લાવતું હશે! આ આઈડીયાઝ સ્વિકારતું પણ કોણ હશે? અને શું પ્રધાનમંત્રી ખુશ થતા હશે આનાથી?

ચૂંટણીમાં જે કરો એ પણ આવા સમયે ઉત્સવો ના હોય, ના બિનજરૂરી દેખાડા હોય. સંવેદનાની કસોટીમાં તમે નિષ્ફળ રહ્યા છો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે