"मैयत का नाम हाकिम ने जश्न रख दिया, रोती है अब रियाया ताली बजा बजा के"


  • Published By :
  • Published Date : 2022-11-01 14:59:39

જીંદગીઓ બેરંગ હતી, પણ હોસ્પિટલને રંગ ચડાવ્યો
જ્યાં હજુ સુધી લાશો હતી, ત્યાં નવી ચાદરો ચડાવી
પીએમને આવા સમયે પણ ખુશ કરવાની ઈચ્છા કોને થઈ હશે?
શું માણસાઈથી પર હોય છે રાજનીતિ?

એક બાજુ મોરબીની દુર્ઘટના અને પ્રધાનમંત્રી મોદીના ગુજરાતમાં રહીને લોકાર્પણના નામે ચૂંટણીલક્ષી ભાષણો સાંભળીને સભાન ગુજરાતી આશ્ચર્યમાં છે, જેમણે પીએમને પોતાના માન્યા એ સમજી નથી રહ્યા કે માત્ર કર્તવ્યના નામે જો તમારી શૉ મસ્ટ ગો ઓનની જેમ કામ ચાલુ જ રાખવા હતા તો પછી સરદાર સાહેબનું અપમાન કરનાર કૉંગ્રેસને ગુજરાત નહી સાંખે એવા રાજકીય ભાષણોની ક્યાં જરૂર હતી.

ક્યાં જરૂર હતી જર્જર હોસ્પિટલના રંગરોગાનની?
ક્યાં જરૂર હતી સાજ-સજાવટની?
ક્યાં જરૂર હતી આ નાટકોની?

અમે હેરાન છીએ, પરેશાન છીએ, અમારી સમજશક્તિની બહાર છે કે આવા સમયે કેવી રીતે કોઈ આટલું અસંવેદનશીલ બનીને હોસ્પિટલનું રંગરોગાન કરાવી શકે, મોરબી સિવીલ ખસ્તા હાલમાં છે, નગરપાલીકા પાસે સાધનો નથી, બધું જ સાચું પણ પીએમને બતાડવા દેખાડા કરવાના આ આઈડીયા કોણ લાવતું હશે! આ આઈડીયાઝ સ્વિકારતું પણ કોણ હશે? અને શું પ્રધાનમંત્રી ખુશ થતા હશે આનાથી?

ચૂંટણીમાં જે કરો એ પણ આવા સમયે ઉત્સવો ના હોય, ના બિનજરૂરી દેખાડા હોય. સંવેદનાની કસોટીમાં તમે નિષ્ફળ રહ્યા છો.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.