મોરબી બ્રિજ દુર્ઘટના : એક જ વર્ષની અંદર ભૂલાઈ દુર્ઘટના, રાજનીતિ તો ખુબ આગળ વધી ગઈ....!


  • Published By :
  • Published Date : 2023-10-30 14:36:09

આજે મોરબી દુર્ઘટનાને એક વર્ષ પૂરું થયું .એે દુર્ઘટના એવી હતી જેને ગુજરાત ક્યારેય ભુલાવી નહીં શકે .પણ માત્ર એ જ લોકો નથી ભુલી શક્યા જે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ ઘટનાનો શિકાર બન્યા, બાકી રાજનીતિ તો ખુબ આગળ વધી ગઈ છે. જ્યાં 30 ઓક્ટોબર 2022એ લાશોના ખડકલા હતા ત્યાં મહિના પછી જ ચૂંટણી પ્રચારનો ધમધમાટ હતો, તો એક વર્ષ પછી મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રી કોઈ ટ્વીટની પણ તસ્દી લે એ અપેક્ષીત નથી. સવાસો કરોડનો દેશ છે, દરરોજ હજારો જિંદગીઓ આમ જ કચડાઈને મરે છે, પણ આ સંવેદનશીલ દેશમાં કોઈની સંવેદનાઓ લાંબા સમય સુધી નથી દુભાતી. બરાબર એક વર્ષ પહેલા આ ઘટનાએે આપણી સમગ્ર વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. આ ઘટનાની તીવ્રતા એટલી બધી હતી કે લોકોના એક સમયે ધબકારા અટકી ગયા હતા. માનવતામાં કંપન ઊભું થઈ ગયું હતું . આમ છતાં , બેદરકારીનો પડછાયો હજી પણ આપણી વ્યવસ્થામાંથી ગયો નથી . 


જેની પર વિતી હોય તેને જ આવી ઘટનાનું દુખ ખબર પડે..!

કોઈ પણ ઘટનાને ભૂલવામાં આપણને વાર નથી લાગતી. એ વાત આજે સાબિત થાય છે. 2019નો તક્ષશિલા કાંડ હોય કે 2022ની મોરબી દુર્ઘટના હોય જનતાથી લઈ મંત્રી કે પછી મંત્રીના અંતર્ગત તંત્ર સુધી , આપણે માત્ર 20 કે 25 દિવસ સુધી શોકમાં રહ્યા , શ્રદ્ધાંજલીના ધોધ વહ્યા હતા , આંસુની નદીયો વહી હતી પરંતુ અસરકારક પગલાંના નામે શૂન્ય . આ કલેજા કંપાવતી ઘટનાઓ ક્યારે અટકશે ? કરસનદાસ માણેકની કવિતાની પંક્તિયો છે કે '' ફૂલડાં ડૂબી જાય છે પણ પથરા તરી જાય છે '' . જેમણે  પોતાના સ્વજનો ગુમાવ્યા હોય એને જ આ દર્દની ખરેખર  ખબર પડે છે . પરંતુ એે પણ હકીકત છે કે માણસો એે આવી ઘટના ભૂલીને આગળ વધવું પડે છે નહીં તો માનવ વિકાસ રૂંધાય જાય છે . પરંતુ તેનો મતલબ એે પણ નથી કે જનતાથી લઈ મંત્રી સુધી આપણે સૌ બેદરકાર બનીએ, આવી બીજી ઘટના ઘટવાની રાહ જોઈએ. 


કાર્યવાહી કર્યાનો આ દેખાવો હતો!

તાજેતરમાં જ કેટલાક બ્રિજના બાંધકામમાં ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી. બ્રિજના બાંધકામકર્તાઓ અને રૂપરેખા તૈયાર કરનારાઓ sop એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરનું પાલન નથી કરતાં . આની કિમત પાછળથી સામાન્ય માણસે ચૂકવવી પડે છે . એટલે એક વાત તો ચોક્કસ છે કે sopના અમલીકરણમાં તંત્રએ કડકાઇ દાખવવી જ પડે. જ્યારે મોરબી દુર્ઘટના બની એના પછી તરત જ બેટદ્વારકાની ઘેંટા-બકરાની જેમ માણસોને ભરી જતી બોટ હોય કે રાજ્યના બાકીના આવા પુલ, તાત્કાલીક અસરથી બધે જ કડક અમલવારી શરૂ કરી પણ બધાને ખબર હતી કે આ બધું જ બે મહિનાનો દેખાડો છે. 


ભ્રષ્ટાચારે સમગ્ર તંત્રમાં માઝા મૂકી છે...!

ચિતાની રાખ ઠંડી પડે કે તરત જ ઘટનાનાં પડઘા પણ ડુબી જતા હોય છે.ગયા અઠવાડીયે પાલનપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડ્યો અને  બે માણસોના મૃત્યુ થયા. એની બુમરાણ પણ શાંત થઈ ગઈ, હવે આપણે પાછા નવી કોઈ દુર્ઘટના પર એ જ જૂના આંસુ અને પ્રશ્નો સાથે તૈયાર રહીશું. જો આપણે આવી જ રીતે બેદરકાર રહ્યા તો આવી ઘટનાઓ અટકશે નહીં . બીજું સૌથી મહત્વનું નોંધપાત્ર પરિબળ એે છે કે ભ્રષ્ટાચારે સમગ્ર તંત્રમાં માઝા મૂકી છે . જે આપણી વ્યવસ્થાને ઊધઈની જેમ કોરી ખાય છે . 


દુર્ઘટનાના બોધપાઠમાંથી આપણે નથી શીખતા...  

તંત્રને ખોખલું બનાવી દે છે અને આ ભ્રષ્ટાચારમાં કોઈનું ઉત્તરદાયિત્વ નક્કી થતું નથી કેમ કે ગમે તે ભોગે ઇલેક્શન જીતી લેવા એે આજના લોકતંત્રની સૌથી મોટી નબળાઈ પુરવાર થઈ છે . રાજનીતિ વિજ્ઞાન આને electocracy તરીકે ઓળખાવે છે . આ નવા પ્રકારનું  આપખુદ શાસન કેહવાય છે, અત્યારે વિશ્વના કેટલાય દેશો આ પ્રકારની શાસન વ્યવસ્થાના શિકાર છે . એક વસ્તુ હકીકત છે કે બ્રિજ, રોડ જેવુ આંતરમાળખું એટલે કે ઇનફ્રાસ્ટ્રક્ચર કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે ખૂબજ જરૂરી છે પણ માનવ જીવનના ભોગે નહીં . મોરબી , પાલનપુર કે પછી સુરતની તક્ષશીલા દુર્ઘટના હોય એે દર વખતે આપણને મહત્વના બોધપાઠ આપે છે . પરંતુ આ બોધપાઠમાંથી આપણે કેટલું શીખીએ છીએ એના પર ભવિષ્ય નિર્ભર છે . 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!