મોરબી બ્રિજ દુર્ઘટના: ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની વ્હારે આવ્યા કોંગ્રેસના આ ત્રણ પાટીદાર નેતા


  • Published By :
  • Published Date : 2023-10-23 15:09:14

ગુજરાતને હચમચાવી નાખનારી મોરબી બ્રિજ દુર્ઘટનાને કોણ ભૂલી શકે? આ ભયાનક કરૂણાંતિકામાં 135 જેટલા નિર્દોષ લોકોના મોત થયા હતા જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજના રિનોવેશનનો કોન્ટ્રાક્ટ ઓરેવા ગ્રૂપ પાસે હતો, તેથી સ્વાભાવિક રીતે જ આ ગ્રૂપના માલિક જયસુખ પટેલ સહિતના અન્ય દશ લોકો પર કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે. હવે આ મામલો કોંગ્રેસના ત્રણ નેતાઓ લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલનો તેમની વ્હારે આવ્યા છે. આ ત્રણેય પૂર્વ ધારાસભ્યોએ પ્રેસ કોન્ફરન્સ કરીને જયસુખ પટેલને નિર્દોષ ગણાવ્યા હતા અને તેમની સામે ચાલી રહેલી SITની તપાસ પર પણ ગંભીર આરોપો લગાવ્યા હતા. જોવાની વાત તો એ છે કે કોંગ્રેસના આ નેતાઓએ તેમની પાર્ટીથી અલગ રહીને જયસુખ પટેલનું સમર્થન કર્યું છે. તેમણે આ મામલે મોરબી કલેક્ટરથી લઈને નગરપાલિકાના કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી.


ઉગ્ર આંદોલન કરવામાં આવશે- લલિત કગથરા


કોંગ્રેસના અગ્રણી નેતા લલિત કગથરાએ જયસુખ પટેલનું સમર્થન કરતા કહ્યું કે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે. SITએ મોરબી દુર્ધટના અંગે એકતરફી તપાસ કરી હોવાનો લલિત કગથરાએ આરોપ લગાવ્યો છે. તેઓએ જણાવ્યું છે કે, આ દુર્ઘટના માટે નગર પાલિકા, કલેક્ટર, ચીફ ઓફિસર પણ જવાબદાર છે. 1995થી 2007 વચ્ચે 2 વખત કંપનીને સંપૂર્ણ સમારકામનું કામ સોંપાયું હતું. 2022ની ચૂંટણી પહેલા માનવસર્જિત ભયંકર દુર્ઘટના બની ગઈ હતી. દુર્ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા, દુર્ઘટનાને લઈ હું દિલથી દિલાસો આપું છું. જ્યારે દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો અંતિમ સમય હતો. આ દુર્ઘટના પર તંત્રના અધિકારીઓને બદલે કંપનીના કર્મીઓને જવાબદાર ઠેરવ્યા આવી રહ્યા છે. કંપનીના કર્મચારીઓને પકડી તંત્ર જવાબદારીમાંથી છટકી રહ્યું છે. કગથરાએ વધુમાં કહ્યું કે, કલેક્ટરની સૂચના મુજબ એગ્રીમેન્ટના મુદ્દા નક્કી થયા હતા. મોરબી કલેક્ટર અને નગરપાલિકા પણ આ ગુના માટે જવાબદાર ગણાય. એગ્રીમેન્ટ ડ્રાફ્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા તૈયાર કરાયો હતો, જેમાં બધા સહેમત હતાં. સીટના રિપોર્ટ પ્રમાણે ફક્ત ઓરેવા બધી બાબતો માટે જવાબદાર કેમ? એગ્રીમેન્ટ મુજબ કલેક્ટર અને મોરબી નગરપાલિકા જવાબદાર કેમ નહીં?  ચૂંટણીનું વર્ષ હોવાથી સરકારે કંપનીના માલિકની ધરપકડ કરી છે. આમાં ઓરેવાની જેટલી જવાબદારી છે એટલી જ કલેક્ટરની જવાબદારી છે, માત્ર ઓરેવા ગ્રુપને જ શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે? કોંગ્રેસના નેતાઓેએ જયસુખ પટેલને નિર્દોષ ગણાવીને તંત્રના તત્કાલીન જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવાની માગણી કરી છે અને જો તેમની માગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં પાટીદાર સંસ્થાઓના વડાઓ સાથે બેઠક કરીને ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 


પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને હેરાન કરવામાં આવે છે: કિરીટ પટેલ


કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો કે પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને ઈરાદાપૂર્વક હેરાન કરવામાં આવી રહ્યા છે. પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓને જેલમાં ધકેલવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. પાટીદાર સમાજના કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સામે એક તરફી તપાસ થાય છે. કોર્ટમાં છેલ્લા દિવસે ચાર્જશીટ કરી હેરાનગતી કરવાની વૃત્તિ કોના ઈશારે ચાલી રહી છે. ખોટી રીતે જેલમાં ધકેલી દેવાય છે. અધિકારીઓને જવાબદારીમાંથી દૂર કરવામાં આવે છે, ઈરાદાપૂર્વક અવાજ દબાવાય છે. પોલીસે કલેક્ટરની કેમ પૂછપરછ કરી નથી, કલેક્ટરને એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. સરકારની નિષ્ફળતા ઢાંકવાનો પ્રયત્ન કરી રહી છે.


ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવાયું: લલિત વસોયા


ધોરાજી બેઠકના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું ખુલ્લું સમર્થન કરતા કહ્યું કે, સરકારે જયસુખ પટેલ સામે લગાવેલા ચાર્જ કલેક્ટર ઉપર પણ લાગવા જોઈએ.  લલિત વસોયાએ વધુમાં કહ્યું કે, ભાજપે પોતે બચવા માટે અન્યને બલીનો બકરો બનાવવામાં આવ્યો. જયસુખ ભાઈ જેટલા જ જવાબદાર કલેકટર, ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ પણ બને છે. કલેકટર, ચીફ ઓફિસર નિર્દોષ હોય તો જયસુખ પટેલ પણ નિર્દોષ છે. લલિત વસોયાએ કહ્યું કે, મોરબી દુર્ઘટના સમયે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીકમાં હતી. તેથી સરકારે પોતાની બેદરકારી પર ઢાંક પિછોડો કરવા માટે ઓરેવા ગ્રૂપને હોળીનું નારિયેળ બનાવ્યું છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!