મોરબી બ્રીજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ અને લુકઆઉટ સર્ક્યુલર


  • Published By :
  • Published Date : 2023-01-22 12:09:56

મોરબીનો ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના માટે જવાબદાર અજંતા-ઓરેવા ગ્રૂપના માલિક ગ્રુપના માલિક જયસુખ પટેલ સામે આખરે પોલીસે બે મહિના બાદ ધરપકડ વોરંટ જાહેર કર્યો છે અને ટૂંક સમયમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં તેમને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસે જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. 


જયસુખ પટેલ પટેલ સામે પોલીસ એક્શનમાં


જયસુખ પટેલ છેલ્લાં દોઢ મહિનાથી ધરપકડ ટાળી રહ્યા હતા અને તેમને પૂછપરછ માટે મોકલવામાં આવેલા તમામ સમન્સની પણ અવગણના કરી હતી. જયસુખ પટેલનું નામ ચાર્જશીટમાં આરોપીઓમાંથી એક તરીકે આપવામાં આવ્યું છે. આ ચાર્જશીટ આવતા અઠવાડિયે ફાઈલ કરવામાં આવશે. ગયા બે મહિનામાં અમે તેમના નિવાસસ્થાન, ફેક્ટરી અને અન્ય કેટલાંક પરિસર પર દરોડા પાડ્યા હતા. તેમને પૂછપરછ માટે ઘણીવાર બોલાવવામાં આવ્યા હતા. આખરે પોલીસે સીઆરપીસીની કલમ 70 હેઠલ તેમની ધરપકડનું વોરંટ મેળવ્યું અને 10 દિવસ પહેલાં લુકઆઉટ પરિપત્ર મેળવ્યો હતો.


જયસુખ પટેલ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર


પોલીસે જયસુખ પટેલ સામે લુકઆઉટ સર્ક્યુલર પણ બહાર પાડ્યું છે. આ લુકઆઉટ સર્ક્યુલર એ દેશના તમામ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈમિગ્રેશન સત્તાવાળાઓને વિદેશથી મુસાફરી કરવા અથવા પરત ફરવાનો પ્રયાસ કરતી વોન્ટેડ વ્યક્તિ વિશે ચેતવણી છે. તમામ પોલીસ સ્ટેશનોને પણ અલર્ટ જારી કરવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે અધિકાર ક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર જો તેઓ જયસુખ પટેલને શોધી કાઠે તો તેની અટકાયત કરવામાં આવે. દુર્ઘટનાની તપાસ માટે રચાયેલી ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમે પુલના અધૂરા સમારકામનો પર્દાફાશ કર્યો હતો.


આગોકરા જામીન અગે 1 ફેબ્રુ.એ સુનાવણી થશે


જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પરની સુનાવણીની તારીખ મોરબીની કોર્ટે શનિવારે 1 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે, કારણ કે ફરિયાદ પક્ષે જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો હતો. ઉપરાંત લગભગ 10 પીડિતોના પરિવારો શનિવારે તેમના એડવોકેટ દિલીપ અગેચાનિયા મારફતે મોરબી કોર્ટમાં હાજર થયા હતા અને જયસુખ પટેલના આગોતરા જામીનનો વિરોધ કરવા માટે પક્ષકાર બનવા માટે અરજી કરી હતી. તેઓએ કહ્યું કે, કોર્ટે અમને અમારો વાંધો દાખલ કરવાની મંજૂરી આપી અને 1 ફેબ્રુઆરીએ હાજર રહેવા માટે કહ્યું છે.


 મોરબી બ્રીજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા 


અત્રે ઉલ્લેખનિય છે કે જયસુખ પટેલની ઓરેવા કંપનીને વિક્ટોરિયન યુગના ઝુલતા પુલના નવીનીકરણ, કામગીરી અને જાળવણીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જે 30 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યો હતો અને 135 લોકો મચ્છુ નદીમાં ડૂબી જવાથી મોચ થયા હતા. આ ભયાનક દુર્ઘટના બાદ સમગ્ર રાજ્ય ઉપરાંત દેશભરમાં હકકંપ મચી ગયો હતો.  






થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!