Morbi Bridge Collapsed : જયસુખ પટેલને Supreme Courtએ આપ્યો ઝટકો, જામીન અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઈન્કાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-30 13:38:12

ગયા વર્ષે 30મી ઓક્ટોબરે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. મોરબીમાં બનેલો ઝુલતો બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. એક તરફ લોકો દિવાળીની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ અનેક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મોરબી બ્રિજ અકસ્માતના મુખ્ય આરોપી જયસુખ પટેલે જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આની પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. જયસુખ પટેલની જામીન અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી છે.

 


જામીન અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઈન્કાર 

મોરબી બ્રિજ અકસ્માત મામલે મોટી અપડેટ સામે આવી છે. દિવાળી વખતે મોરબી ઝુલતા બ્રિજ સાથે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 135 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના સામે આવ્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઓરેવા કંપનીના જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. જામીન અરજી પર સુનાવણી કરવા અંગે સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. મળતી માહિતી અનુસાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કરો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.