Morbi Bridge Collapsed : દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું પરંતુ પરિસ્થિતિ કેટલી બદલાઈ? એ વખતે 12 કલાકમાં કેસ તો થયો પરંતુ....


  • Published By :
  • Published Date : 2023-10-30 13:46:04

30 ઓક્ટોબર 2022નોએ દિવસ 135 લોકો માટે અંતિમ દિવસ સાબિત થયો જે લોકો મોરબીના ઝુલતા પુલ પર ઉભા હતા. એક તરફ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા તો બીજી તરફ અનેક એવા પરિવાર હતા જેમણે આ દુર્ઘટનામાં પોતાના સ્વજન ગુમાવ્યા. દિવાળીનો તહેવાર તેમના માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. એક વર્ષ થયું કદાચ આપણે એ ઘટનાને ભૂલી ગયા હોઈશું, જો યાદ પણ હશે પરંતુ એટલો આક્રોશ કદાચ આપણામાં આ ઘટનાને લઈને નહીં હોય જે એ સમયે હતો. પરંતુ એ પરિવારના સભ્યો આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકે જેમણે આ ગોઝારી ઘટનામાં પોતાના સ્વજનને ગુમાવ્યા હશે. 

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી - Gujarat Tak

12 કલાકની અંદર કેસ કરાયો હતો દાખલ 

મોરબી દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે. એ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કોના વાંકે આ દુર્ઘટના સર્જાઈ તેની હજી તપાસ ચાલી રહી છે. જે વખતે દુર્ઘટના સર્જાઈ તે વખતે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્વરીત એક્શન લેવા માટે સરકાર પર જાણે પ્રેશર કરવામાં આવ્યું હોય તેવું લાગતું હતું. મોરબી દુર્ઘટનામાં 12 કલાકની અંદર જ આ મામલે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ફરિયાદ બાદ 10 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્વરીત ધરપકડ તો કરી લેવામાં આવી પરંતુ તેમાંથી પાંચ લોકો હાલ જામીન પર બહાર છે. 


ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે આ મામલે સુનાવણી 

આ મામલે તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી. આ દુર્ઘટના પાછળ કોણ જવાબદાર છે તે શોધવા માટે તપાસ ચાલી રહી છે.  આ દુર્ઘટનામાં થોડા દિવસ પહેલા જ 5000 પાનાનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ઓરેવા કંપની દ્વારા ગંભીર બેદરકારી દાખવામાં આવી છે તે જણાવામાં આવ્યું હતું. ઓરેવા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર સહિતના લોકોની બ્રિજ તૂટવાની ઘટનામાં જવાબદારી હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. આ મામલાની સુનાવણી ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહી છે.             

એક વર્ષ પૂર્ણ થયું પરંતુ નથી સુકાયા પરિવારના આંસુ 

જે વખતે આ દુર્ઘટના સર્જાઈ હતી તે વખતે મોટી સંખ્યામાં લોકો બ્રિજ પર હાજર હતા. પ્રશ્ન એ વખતે પણ એ જ હતો કે કેટલા લોકો બ્રિજ પર ઉભા રહી શકે તે સંખ્યા નક્કી કરવામાં આવી ન હતી. ભીડને રોકવા માટે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. સૌથી પહેલી અને અગત્યની વાત તો એ છે કે કોની પરવાનગીથી આ બ્રિજને લોકો માટે ખોલવામાં આવ્યો? સુરક્ષા કર્મીઓનો પણ અભાવ જોવા મળ્યો હતો. આ ઘટનાને એક વર્ષ તો પૂર્ણ થઈ ગયું પરંતુ પરિવારને ન્યાય નથી મળ્યો, પરિવારના આંસુ હજી નથી સુકાયા...     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!