Morbi Bridge Collapsed કેસ Supreme Court પહોંચ્યો! જાણો ઘટનામાં કોને જામીન મળતા પીડિત પરિવારે ખખડાવ્યા સુપ્રીમ કોર્ટના દ્વાર?


  • Published By :
  • Published Date : 2023-08-07 11:04:28

દિવાળીના સમયે મોરબીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અનેક લોકોના મોત થઈ ગયા હતા. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ત્યારે આ મામલે એક નવી અપડેટ મળી રહી છે. બ્રિજ તૂટી પડતાં અનેક પરિવારો વિખેરાઈ ગયા હતા. ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનામાં પીડિત પરિવાર સુપ્રિમ કોર્ટના શરણે ગયા છે. બ્રિજ દુર્ઘટનામાં બે ક્લાર્કને અપાયેલા જામીનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર 10 આરોપીઓ પૈકી 03 સિક્યુરિટી ગાર્ડ અને 02 ક્લાર્કને જામીન મળી ચૂક્યા છે. બે ક્લાર્ક દ્વારા મોરબી બ્રિજ પર જવા માટે ટિકિટ વેચવામં આવી હતી. હાઈકોર્ટમાં તેમના જામીન અર્થે અરજી કરવામાં આવી છે અને જજ દ્વારા તેમની જામીન અરજીને મંજૂર કરવામાં આવી હતી. બંને આરોપીઓને પોલીસ તપાસમાં સહકાર આપવાની શરતે જામીન અરજીને મંજૂર કરી છે. ત્યારે આ જામીન અરજીને સુપ્રીમ કોર્ટમાં પકડારવામાં આવી છે. 


બે ક્લાર્કના જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી 

મચ્છુ નદી પર બનાવવામાં આવેલો ઝુલતો બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ હતી તે ઘટના આપણને સૌને યાદ છે. દિવાળીના સમયે પરિવાર સાથે ફરવા અનેક લોકો બ્રિજ પર ગયા હતા. ત્યારે અચાનક બ્રિજ તૂટી ગયો હતો અને દુખદ દુર્ઘટના સર્જાઈ હતી અને 100 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ મામલે તપાસ કરવામાં આવી. મળતી માહિતી અનુસાર 2 ક્લાર્કના જામીનને હાઈકોર્ટે મંજૂર કર્યા છે. મહત્વનું છે કે આ એ જ ક્લાર્ક છે જેમણે બ્રિજ પર જવા માટે લોકોને ટિકિટ આપી હતી. કેપેસિટી કરતા વધારે લોકો બ્રિજ પર એક સાથે હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે પીડિત પરિવારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. પીડિત પરિવારોનું કહેવું છે કે આરોપીઓએ ઈરાદાપૂર્વક આ કૃત્ય કર્યું છે. પોલીસ ચાર્જશીટમાં તેમનું નામ હોવા છતાંય તેમને જામીન મળ્યા છે. 


પીએમ મોદીની મુલાકાતને કારણે હોસ્પિટલમાં કરાયો હતો કલર 

મહત્વનું છે દુર્ઘટાનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પીએમ મોદી ખુદ ગુજરાત આવ્યા હતા. પીડિત પરિવારો સાથે તેમણે મુલાકાત કરી હતી. આ બધુ હતું ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ તે સમયે હોસ્પિટલમાં રંગરોગાન કરાવવામાં આવ્યું તે યોગ્ય ન હતું. એક તરફ જ્યાં લોકોના સ્વજન દુનિયા છોડીને જઈ રહ્યા હતા, લોકોની મદદે આવવાની બદલીમાં તંત્ર પીએમ મોદીના સ્વાગતની તૈયારીમાં લાગી ગયું હતું તે અત્યંત દુખદ અને નિંદનીય હતું. કદાચ આવા દ્રષ્યો જોઈને પીડિતા પરિવારને વધારે દુખ થયું હશે.     



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!