મોરબી કરૂણાંતિકા: સુપ્રીમ કોર્ટમાં 14 નવેમ્બરે 135 લોકોના મોતની સુનાવણી, એક વકીલે કરી હતી PIL


  • Published By :
  • Published Date : 2022-11-01 17:10:42

મોરબી બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 135 લોકોના મોત 'સરકારી ચોપડે' નોંધાયા છે. જો કે હવે આ કરૂણાંતિકાને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી  (PIL) દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશની દેખરેખમાં એક પેનલની રચના કરી આ કેસની સુનાવણી માટે તાત્કાલિક સુચના આપવાની અરજીમાં માંગ કરવામાં આવી છે.  


ન્યાયાયિક તપાસની માગ કરતી PIL


મોરબીનો ઝુલતો બ્રિજ તુટી પડતા સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસની માંગ કરતી એક જનહિતની અરજી જાણીતા વકીલ વિશાલ તિવારીએ કરી છે. અરજીમાં આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તે માટે દેશભરમાં જેટલા પણ પુલ કે સ્મારક છે ત્યાં ભીડને નિયંત્રિત કરવા માટે નિયમ બનાવવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે પણ અરજી સ્વિકારી લીધી છે અને સુનાવણી માટે આગામી 14 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.


PM મોદીની મોરબી મુલાકાતને લઈ કોંગ્રેસના પ્રહાર


કોંગ્રેસના પ્રવકત્તા પવન ખેડાએ સોમવારે રાત્રે એક વીડિયો ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા છે. વીડિયો ટ્વીટમાં પ્રધાનમંત્રી મોદીના પ્રવાસને જોતા સોમવાર રાતથી જ મોરબીની સિવિલ હોસ્પિટલને સજાવવામાં આવી રહી છે. હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી મંગળવારે મોરબી પહોંચ્યા છે ત્યારે તેમણે સવાલ કર્યો હતો કે શું આ છે ગુજરાતનું ઢાંકપિછોડો મોડેલ?




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.