મોરબી કરૂણાંતિકા: 8 આરોપીઓની જામીન અરજી ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-23 19:48:06

ગુજરાત અને દેશભરમાં હડકંપ મચાવી દેનારી મોરબી પૂલ દુર્ઘટના બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઈ હતી જો કે કોર્ટે  8 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે જામીન ફગાવ્યા બાદ હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થઇ જતા તમામને જેલમાં મોકલી આપવામાં આવશે.


FSL રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા FSL રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. કંપનીએ પુલની ક્ષમતાની પરવા કર્યા વગર આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી. તે ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હતી.


મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત


મોરબીકાંડમાં 135 લોકોનાં મોત થયા હતા, આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. મોરબી પુલની સંચાલનની જવાબદારી જે ઓરેવા ગ્રુપને સોંપાઇ હતી તેના માલિક વિરુદ્ધ પણ આક્ષેપો થઇ રહ્યા છે. જો કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ઘટના બાદ મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.