મોરબી કરૂણાંતિકા: 8 આરોપીઓની જામીન અરજી ડિસ્ટ્રીક્ટ કોર્ટે ફગાવી


  • Published By :
  • Published Date : 2022-11-23 19:48:06

ગુજરાત અને દેશભરમાં હડકંપ મચાવી દેનારી મોરબી પૂલ દુર્ઘટના બાદ પોલીસે 9 આરોપીઓની ધરપકડ કરી હતી. આજે મોરબી ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં આરોપીઓની જામીન અરજી પર સુનાવણી થઈ હતી જો કે કોર્ટે  8 આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી. હવે 9માં આરોપીની જામીન અરજી મુદ્દે આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. કોર્ટે જામીન ફગાવ્યા બાદ હાલ તો જ્યુડિશિયલ કસ્ટડી પૂર્ણ થઇ જતા તમામને જેલમાં મોકલી આપવામાં આવશે.


FSL રિપોર્ટમાં શું ઘટસ્ફોટ થયો?


મોરબીની સ્થાનિક કોર્ટમાં રજૂ કરાયેલા FSL રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેમાં આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપનીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઝૂલતા પુલના કેબલ અને બોલ્ટ કટાઇ ગયેલા અને બોલ્ટ ઢીલા થઇ ગયા હતા. કંપનીએ પુલની ક્ષમતાની પરવા કર્યા વગર આડેધડ 3165 ટિકિટો આપી દીધી હતી. તે ઉપરાંત સીકયુરીટી ગાર્ડને કોઇ ટ્રેનિંગ આપવમાં આવી ન હતી.


મોરબી દુર્ઘટનામાં 135 લોકોના મોત


મોરબીકાંડમાં 135 લોકોનાં મોત થયા હતા, આ ઘટનાથી હાહાકાર મચી ગયો હતો. મોરબી પુલની સંચાલનની જવાબદારી જે ઓરેવા ગ્રુપને સોંપાઇ હતી તેના માલિક વિરુદ્ધ પણ આક્ષેપો થઇ રહ્યા છે. જો કે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ દુર્ઘટના બાદ મેનેજર, સિક્યુરિટી ગાર્ડ સહિતના 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.